ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સોમવારે ગામ બંધનું વેપારીઓનું એલાન


SHARE













વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સોમવારે ગામ બંધનું વેપારીઓનું એલાન

વાંકાનેરમાં આરએસએસના મેદાનને ગણેશોત્સવ અને નવરાત્રિ માટે ટોકન દરે આપવાનો પાલિકામાં અગાઉ ઠરાવ કરવામાં આવેલ છે તો પણ મેદાન આપવામાં આવતું નથી જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા ૬ દિવસથી માત્ર પ્રવાહી લઈને તંત્રની સામે આંદોલન કરવામાં આવી રહયું છે અને છેલ્લા દિવસોમાં જુદાજુદા સમાજ, સંગઠનો અને સાધુઓ દ્વારા જીતુભાઈને સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે હવે વેપારી એસો. પણ જીતુભાઈના આંદોલનમાં જોડાયા છે અને આંદોલનના સમર્થનમા સોમવારે વાંકાનેર બંધનું એલાન કરવામાં આવ્યું છે

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક કા રાજા ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે પરંતુ પાલિકામાં ઠરાવ અગાઉ કરવામાં આવેલ છે તો પણ પાલિકાના વહીવટદાર દ્વારા આ વર્ષે ગ્રાઉન્ડ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જેને છ દિવસ થઈ ગયા છે ત્યારે અનેક સંસ્થાઓની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શનિવાર રાત્રે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, આશરે પચીસ વેપારી એસોસિએશન, સામાજિક અગ્રણીઓ સહિતનાઓની એક મિટિંગનું આયોજન જીતુભાઈ સોમાણીની ઉપવાસ છાવણી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે સોમવારે વાંકાનેર બંધનું એલાન આપવામા આવ્યું છે અને તમામ વેપારી સંગઠનો દ્વારા બંધ પાડી સવારે ૧૦ વાગ્યે માર્કેટચોક ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે આ મિટિંગમાં સાધુ-સંતો, આર.એસ.એસ, શિવસેના, વી.એચ.પી, ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં હાજર રહ્યા હતા






Latest News