મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સોમવારે ગામ બંધનું વેપારીઓનું એલાન


SHARE







વાંકાનેરમાં જીતુભાઈ સોમાણીના સમર્થનમાં સોમવારે ગામ બંધનું વેપારીઓનું એલાન

વાંકાનેરમાં આરએસએસના મેદાનને ગણેશોત્સવ અને નવરાત્રિ માટે ટોકન દરે આપવાનો પાલિકામાં અગાઉ ઠરાવ કરવામાં આવેલ છે તો પણ મેદાન આપવામાં આવતું નથી જેથી કરીને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા ૬ દિવસથી માત્ર પ્રવાહી લઈને તંત્રની સામે આંદોલન કરવામાં આવી રહયું છે અને છેલ્લા દિવસોમાં જુદાજુદા સમાજ, સંગઠનો અને સાધુઓ દ્વારા જીતુભાઈને સમર્થન આપવામાં આવ્યું છે ત્યારે હવે વેપારી એસો. પણ જીતુભાઈના આંદોલનમાં જોડાયા છે અને આંદોલનના સમર્થનમા સોમવારે વાંકાનેર બંધનું એલાન કરવામાં આવ્યું છે

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ સમિતિ છેલ્લા ૧૨ વર્ષથી માર્કેટચોક કા રાજા ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહ્યા છે પરંતુ પાલિકામાં ઠરાવ અગાઉ કરવામાં આવેલ છે તો પણ પાલિકાના વહીવટદાર દ્વારા આ વર્ષે ગ્રાઉન્ડ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. જેને છ દિવસ થઈ ગયા છે ત્યારે અનેક સંસ્થાઓની રજુઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા શનિવાર રાત્રે સાધુ-સંતો, ધાર્મિક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, આશરે પચીસ વેપારી એસોસિએશન, સામાજિક અગ્રણીઓ સહિતનાઓની એક મિટિંગનું આયોજન જીતુભાઈ સોમાણીની ઉપવાસ છાવણી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે સોમવારે વાંકાનેર બંધનું એલાન આપવામા આવ્યું છે અને તમામ વેપારી સંગઠનો દ્વારા બંધ પાડી સવારે ૧૦ વાગ્યે માર્કેટચોક ખાતે એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે આ મિટિંગમાં સાધુ-સંતો, આર.એસ.એસ, શિવસેના, વી.એચ.પી, ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, સામાજિક અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં હાજર રહ્યા હતા






Latest News