ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં પાણી પીવા જતાં મોત મળ્યું !


SHARE













હળવદ નજીક કેનાલમાં પાણી પીવા જતાં મોત મળ્યું !

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી જવાથી યુવાન કેનાલમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું કેનાલના પાણીમાં મોત નીપજયું હતું જેથી કેનાલમાંથી તેની બોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને અકસ્મત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા માધાભાઈ રામસિંગભાઈ થરેસા જાતે કોળી (ઉમર ૪૩) ગત તા. ૨૬/૮ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી પીવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં પડી ગયા હતા જેથી કરીને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન તેનો મૃતદેહ નર્મદાની કેનાલમાંથી મળી આવતા પાણીમાંથી બહાર કાઢીને તે મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ અનંતનગરના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હોય પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૩) રહે. અનતનગર શેરી નં-૨ બ્લોક નંબર ૨૩ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News