મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?
મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે સર્વાનુમતે દશરથસિંહ ઝાલા (દશુભા)ની વરણી
SHARE
મોરબીમાં રાજપુત સમાજ ભવન ખાતે આજે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે
મોરબી રાજપુત સમાજની સાધારણ સભા મયુર સ્મૃતિ ભવન લખધીરવાસ મોરબી ખાતે રવિવારે સાંજે ૪ કલાકે રાખેલ હતી. જેમા મોરબીના રાજપૂત સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા અને મિટીંગમાં આજદિન સુધીના હિસાબો રજુ કર્યા હતા બાદમાં નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી જેમા સર્વાનુમતે મોરબી જીલ્લા રાજપુત સમાજના પ્રમુખ પદે દશરથસિંહ ઉદુભા ઝાલા (દશુભા) (અદેપર) ની વરણી કરવામાં આવી છે જેને સમાજના આગેવાનો સહિતના હોદેદારોએ આવકારીને અભિનંદન પાઠવ્યા છે સાથેસાથે આ સભામાં સમાજભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓની ચર્ચા કરવામાં આવી હતી તેમ સમાજના માજી પ્રમુખ રઘુવિરસિંહ ઝાલા અને માજી મહામંત્રી મહાવિરસિંહ જાડેજાએ જણાવેલ છે.