ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?


SHARE













મોરબીના રામદેવનગરમાં કોમન પ્લોટમાં થયેલ દબાણને દૂર કરવાની અધિકારીઓ કેમ નથી કરતાં હિંમત ?

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવતા રામદેવ નગરના કોમન પ્લોટમાં દબાણ કરવામાં આવી રહ્યું છે જેની સ્થાનિક તલાટી મંત્રીને તેમજ મામલતદારને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ દબાણને દૂર કરવા માટેની હિંમત કોઈ અધિકારી દ્વારા કરવામાં આવતી નથી ! જેથી કરીને આગામી દિવસોમાં આ દબાણના મુદ્દે કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે 

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ રામદેવનગરમાં રહેતા હિતેશભાઈ ડાયાભાઈ સાગઠીયા દ્વારા હાલમાં મામલતદારને લેખિત રજૂઆત કરીને માળિયા વનાળીયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ રામદેવનગરના પ્લોટ નંબર ૪૨ પાસે કોમન પ્લોટની અંદર ડુંગરભાઇ ઉર્ફે કાળુભાઈ સોમાભાઈ પરમાર દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે જેથી તેને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલ્લેખીય છે કે માળિયા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તેમજ મામલતદારને અરજદાર હિતેશભાઈ સાગઠીયા દ્વારા એક નહીં પરંતુ અનેક વખત દબાણને દૂર કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તેઓ અરજી લેવામાં પણ નનૈયો કરતા હોય છે અને દબાણને દૂર કરવા માટે થઈને લેસ માત્ર કામગીરી કરવામાં આવી નથી ત્યારે જો આ દબાણના મુદ્દાને લઈને સ્થાનિક રામદેવ નગર વિસ્તારની અંદર કોઈ માથાકૂટ થાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે ત્યારે ગેરકાયદેસર દબાણ કરનારા તત્વની સામે કાયદેસરની કાર્યવાહી કારીને દબાણને કયારે દૂર કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News