મોરબી પોલીસે ભૂલા પડેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબીના રફાળેશ્વરમાં થયેલ મારામારીમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ થઈ હોવાની એસપીને રજૂઆત
SHARE
મોરબીના રફાળેશ્વરમાં થયેલ મારામારીમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ થઈ હોવાની એસપીને રજૂઆત
મોરબીના રફાળેશ્વર ગામે થોડા દિવસ પહેલા મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષેથી સામાસામી ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસીટીની ખોટી ફરીયાદ નોંધાતા ત્રણ સમાજના લોકો એસપીને રજૂઆત કરવા માટે ગયા હતા અને જણાવ્યુ હતુ કે, મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર ગેરેજ વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી ત્યાર બાદ બંને પક્ષેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેમાં એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોય પટેલ, ભરવાડ અને દરબાદ સમાજના લોકો દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે