હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ


SHARE







વાંકાનેરના માજી ધારાસભ્યની પ્રતિક ઉપવાસ દરમ્યાન તબિયત લથડી: રાતે જીતુભાઈ સોમાણીએ બોલાવી વેપારીઓની મિટિંગ

વાંકાનેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને વર્ષોથી જે જગ્યાને ટોકન ભાડેથી આપવામાં આવે તેવી માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી આંદોલન કરી રહ્યા છે જો કે, હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે જીતુભાઈના સમર્થનમાં જુદીજુદી સંસ્થાના લોકો પ્રતિક ઉપવાસ માટે આવે છે દરમ્યાન તેમના પત્ની અને વાંકાનેરના માજી પણ પ્રતિક ઉપવાસ ઉપર હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા

વાંકાનેરમાં ગણેશ ઉત્સવ તથા નવરાત્રી ઉત્સવનું આયોજન થાય તે માટે મેદાન ટોકન દરે આપવાની માંગ સાથે ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી નવ દિવસથી ઉપવાસ ઉપર બેઠેલ છે અને તેના સમર્થનમાં ઘણા લોકો અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા તેને ટેકો આપવામાં આવેલ છે અને તેની સાથે લોકો પ્રતિક ઉપવાસમાં પણ બેસે છે ત્યારે તેમના પત્ની અને વાંકાનેરના માજી ધારાસભ્ય જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણી પણ દરરોજ પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે અને મંગલવારે તેઓ ઉપવાસી છાવણીએ હતા ત્યારે તેની તબિયત લથડી હતી જેથી કરીને તેને વાંકાનેર સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાના અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ જ્યોત્સનાબેન જીતુભાઇ સોમાણીને બીપી અને ડાયબીટીસ વધી ગયું હતું જેથી કરીને તેને સારવાર માટે લઈને આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, ત્રણ પાર્ટી દ્વારા મેદાનની માંગણી કરવામાં આવી હતી જેમાંથી બે પાર્ટી હાલમાં સંતો સહિતનાઓની સમજાવટથી ખસી ગયેલ છે તો પણ મેદાન આપવા માટેનો કોઈ ફાઇનલ નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કરીને રાતે જીતુભાઇ સોમાણીએ વેપારીઓ  સહિતનાની મિટિંગ બોલાવી છે અને મેદાન માટે હજુ પણ તેનું આંદોલન ચાલુ જ છે






Latest News