મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાંથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલ ચાર વર્ષની બાળકીનું મોત


SHARE









મોરબીમાંથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલ ચાર વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા પરિવારને ચાર વર્ષની બાળકીને બીમારી સબબ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સવજીભાઈ પાટડીયાની ચાર વર્ષની દીકરી લક્ષ્મીને બીમારી સબબ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને અહીંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં ગઈકાલ તા.૨૯-૮ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન લક્ષ્મીબેન સવજીભાઈ પાટડીયા નામની ચાર વર્ષીય બાળકીનું મોત નિપજયુ હતું હાલમાં બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળીયા મીંયાણાના મોટી બરાર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સર્જાયો હતો.જેમાં હનીફ જાનમામદભાઈ જેડા (૨૪) રહે.માળીયા મીંયાણાને ઇજાઓ થતા અહીંની ક્રિષ્ના હોસ્પીટલે તેમજ નાનીબરાર ગામના અશોકભાઈ પરબતભાઈ ચાવડા (૩૭) અને લાખાભાઈ ઉગાભાઇ ડાંગર (૭૪) નામના બે લોકોને ઇજાઓ થતા તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા.જયારે હળવદ તાલુકાના દેવીપુર ગામે પરિવાર સાથે રહેતી સોનલબેન પ્રકાશભાઈ રાઠવા નામની ૧૧ વર્ષીય બાળકી તેઓના ઘર પાસેથી બાઇકમાં બેસીને વાડી તરફ જતી હતી ત્યારે રસ્તામાં ચરમરીયા દાદાના મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થતાં તે પડી જતા ઈજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા ખાતે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રત થયેલા હાજીભાઈ આદમભાઈ માલકીયા નામના ૩૬ વર્ષીય યુવાનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News