મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલ ચાર વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીમાંથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલ ચાર વર્ષની બાળકીનું મોત

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા પરિવારને ચાર વર્ષની બાળકીને બીમારી સબબ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સવજીભાઈ પાટડીયાની ચાર વર્ષની દીકરી લક્ષ્મીને બીમારી સબબ સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી અને અહીંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં ગઈકાલ તા.૨૯-૮ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન લક્ષ્મીબેન સવજીભાઈ પાટડીયા નામની ચાર વર્ષીય બાળકીનું મોત નિપજયુ હતું હાલમાં બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળીયા મીંયાણાના મોટી બરાર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સર્જાયો હતો.જેમાં હનીફ જાનમામદભાઈ જેડા (૨૪) રહે.માળીયા મીંયાણાને ઇજાઓ થતા અહીંની ક્રિષ્ના હોસ્પીટલે તેમજ નાનીબરાર ગામના અશોકભાઈ પરબતભાઈ ચાવડા (૩૭) અને લાખાભાઈ ઉગાભાઇ ડાંગર (૭૪) નામના બે લોકોને ઇજાઓ થતા તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા.જયારે હળવદ તાલુકાના દેવીપુર ગામે પરિવાર સાથે રહેતી સોનલબેન પ્રકાશભાઈ રાઠવા નામની ૧૧ વર્ષીય બાળકી તેઓના ઘર પાસેથી બાઇકમાં બેસીને વાડી તરફ જતી હતી ત્યારે રસ્તામાં ચરમરીયા દાદાના મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થતાં તે પડી જતા ઈજાઓ થવાથી તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા સુરેશભાઈ પરસોતમભાઈ ચાવડા નામના ૨૧ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા ખાતે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માતના બનાવમાં ઇજાગ્રત થયેલા હાજીભાઈ આદમભાઈ માલકીયા નામના ૩૬ વર્ષીય યુવાનને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News