મોરબીમાંથી બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયેલ ચાર વર્ષની બાળકીનું મોત
મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન
SHARE
મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન
મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન આગામી તા.૩ ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી યુ એન મહેતા આર્ટ્સ કોલેજ, સેમિનાર હોલ, ભડિયાદ રોડ, મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે.પુસ્તક વિમોચન સમારોહનું અધ્યક્ષસ્થાન સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ શોભાવશે.
પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.લખમણભાઈ એમ.કંઝારિયાના વરદ હસ્તે કરવામાં આવશે.આ પુસ્તક વિમોચન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.કે.આર.દંગી, શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જીતેન્દ્રભાઇ ગરમોરા, શ્રી એમ.એમ.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.હિતેશભાઇ માંડવિયા, ગુજરાતના જાણીતા શિક્ષણવિદ પ્રા.મહેન્દ્રભાઈ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી-રાજકોટના લાઈબ્રેરિયન ડૉ.મહેશભાઈ સોલંકી તથા કચ્છ જિલ્લાના પૂર્વ આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટર એન્જિનિયર મુકેશકુમાર જાદવજીભાઈ પરમાર પુસ્તક વિમોચનના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ડૉ ભાણજી સોમૈયા લિખિત આ પાવર ઓફ માઈન્ડ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ શિક્ષણવિદ મનસુખભાઈ સલ્લાએ આ પુસ્તક વિશે પ્રેરણાદાયી અને સકારાત્મક પ્રતિભાવ પ્રસ્તાવનાના રૂપે લખી આપ્યો છે.૧૭૬ પેજના પુસ્તકમાં મનની શક્તિનો ઉપયોગ કરીને જિંદગીમાં સફળતા હાંસલ કરવા માર્ગદર્શક લેખન કરવામાં આવ્યું છે.