મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન


SHARE









મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન

મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન આગામી તા.૩ ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી યુ એન મહેતા આર્ટ્સ કોલેજ, સેમિનાર હોલ, ભડિયાદ રોડ, મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે.પુસ્તક વિમોચન સમારોહનું અધ્યક્ષસ્થાન સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ શોભાવશે.

પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.લખમણભાઈ એમ.કંઝારિયાના વરદ હસ્તે કરવામાં આવશે.આ પુસ્તક વિમોચન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.કે.આર.દંગી, શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જીતેન્દ્રભાઇ ગરમોરા, શ્રી એમ.એમ.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.હિતેશભાઇ માંડવિયા, ગુજરાતના જાણીતા શિક્ષણવિદ પ્રા.મહેન્દ્રભાઈ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી-રાજકોટના લાઈબ્રેરિયન ડૉ.મહેશભાઈ સોલંકી તથા કચ્છ જિલ્લાના પૂર્વ આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટર એન્જિનિયર મુકેશકુમાર જાદવજીભાઈ પરમાર પુસ્તક વિમોચનના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ડૉ ભાણજી સોમૈયા લિખિત આ પાવર ઓફ માઈન્ડ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ શિક્ષણવિદ મનસુખભાઈ સલ્લાએ આ પુસ્તક વિશે પ્રેરણાદાયી અને સકારાત્મક પ્રતિભાવ પ્રસ્તાવનાના રૂપે લખી આપ્યો છે.૧૭૬ પેજના પુસ્તકમાં મનની શક્તિનો ઉપયોગ કરીને જિંદગીમાં સફળતા હાંસલ કરવા માર્ગદર્શક લેખન કરવામાં આવ્યું છે.






Latest News