ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન


SHARE













મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન

મોરબીમાં માઈન્ડ પાવર ફેમ લેખક અને મોટીવેશનલ સ્પીકર ડૉ.ભાણજી સોમૈયા લિખિત પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન આગામી તા.૩ ને શનિવારના રોજ સવારે ૯.૩૦ કલાકે શ્રી યુ એન મહેતા આર્ટ્સ કોલેજ, સેમિનાર હોલ, ભડિયાદ રોડ, મોરબી-૨ ખાતે રાખવામાં આવેલ છે.પુસ્તક વિમોચન સમારોહનું અધ્યક્ષસ્થાન સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ શોભાવશે.

પાવર ઓફ માઈન્ડ પુસ્તકનું વિમોચન શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.લખમણભાઈ એમ.કંઝારિયાના વરદ હસ્તે કરવામાં આવશે.આ પુસ્તક વિમોચન સમારોહમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ મહેતા, ટ્રસ્ટી દેવાંગભાઈ દોશી, યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પ્રો.કે.આર.દંગી, શ્રીમતી જી.જે.શેઠ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.જીતેન્દ્રભાઇ ગરમોરા, શ્રી એમ.એમ.સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.હિતેશભાઇ માંડવિયા, ગુજરાતના જાણીતા શિક્ષણવિદ પ્રા.મહેન્દ્રભાઈ પરમાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.બી.એચ.ગાર્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી-રાજકોટના લાઈબ્રેરિયન ડૉ.મહેશભાઈ સોલંકી તથા કચ્છ જિલ્લાના પૂર્વ આસીસ્ટન્ટ ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટર એન્જિનિયર મુકેશકુમાર જાદવજીભાઈ પરમાર પુસ્તક વિમોચનના કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.ડૉ ભાણજી સોમૈયા લિખિત આ પાવર ઓફ માઈન્ડ પુસ્તકની મુખ્ય વિશેષતા એ છે કે ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ શિક્ષણવિદ મનસુખભાઈ સલ્લાએ આ પુસ્તક વિશે પ્રેરણાદાયી અને સકારાત્મક પ્રતિભાવ પ્રસ્તાવનાના રૂપે લખી આપ્યો છે.૧૭૬ પેજના પુસ્તકમાં મનની શક્તિનો ઉપયોગ કરીને જિંદગીમાં સફળતા હાંસલ કરવા માર્ગદર્શક લેખન કરવામાં આવ્યું છે.






Latest News