મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબીના ગાંધીચોક નજીક રહેતા અને મૂળ અમદાવાદના પટેલ વૃદ્ધને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના જયપાસસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના ગાંધીચોક વિસ્તાર નજીક રહેતા અને જયાં ત્યાં ભટકીને ભિક્ષુક જેવું જીવન વિતાવતા ચંદુભાઈ છગનભાઈ પટેલ (ઉમર ૬૦) કે જેઓ મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું બાદમાં જાણવા મળેલ છે તેઓને ગત તા.૧-૯ ના રોજ બીમારી સબબ મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એકાદ દિવસની સારવાર બાદ તા.૨-૯ ના રોજ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન આજે તા.૬-૯ ના વહેલી સવારે સવા બે વાગ્યાના અરસામાં ચંદુભાઇ પટેલનું મોત નિપજયુ હતુ અને તેઓના અમદાવાદ ખાતે રહેતા સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા.

મારામારીમા ઈજા

મોરબીની લુહાર શેરી કુબેરનાથ મહાદેવના મંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ મેરૂભાઈ ચૌહાણ નામના ૪૬ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીની મોચીશેરીમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૨ વર્ષના વૃદ્ધને પણ મારામારીના બનાવમાં ઈજા થતા તેમને પણ સિવિલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મુનાફ હનીફભાઈ મકરાણી નામના ૧૦ વર્ષના બાળકને મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જયારે મોરબીના વાંકાનેર દરવાજા પાસે મેઇન રોડ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ વાસુરભાઈ રાજાભાઈ બોરીચા નામના ૬૦ વર્ષીય આધેડને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે મસ્જીદ વિસ્તારમાં રહેતા રમઝાન સીદીકભાઈ હિંગરોજા નામનો ૩૨ વર્ષનો યુવાન આડેસર ગામના પીએચસી પાસેથી બાઈક લઈને પસાર થતો હતો તે દરમિયાનમાં તે નિચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી ખસેડાયો હતો






Latest News