મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબીના ગાંધીચોક નજીક રહેતા અને મૂળ અમદાવાદના પટેલ વૃદ્ધને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના જયપાસસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના ગાંધીચોક વિસ્તાર નજીક રહેતા અને જયાં ત્યાં ભટકીને ભિક્ષુક જેવું જીવન વિતાવતા ચંદુભાઈ છગનભાઈ પટેલ (ઉમર ૬૦) કે જેઓ મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું બાદમાં જાણવા મળેલ છે તેઓને ગત તા.૧-૯ ના રોજ બીમારી સબબ મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એકાદ દિવસની સારવાર બાદ તા.૨-૯ ના રોજ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન આજે તા.૬-૯ ના વહેલી સવારે સવા બે વાગ્યાના અરસામાં ચંદુભાઇ પટેલનું મોત નિપજયુ હતુ અને તેઓના અમદાવાદ ખાતે રહેતા સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા.

મારામારીમા ઈજા

મોરબીની લુહાર શેરી કુબેરનાથ મહાદેવના મંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ મેરૂભાઈ ચૌહાણ નામના ૪૬ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીની મોચીશેરીમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૨ વર્ષના વૃદ્ધને પણ મારામારીના બનાવમાં ઈજા થતા તેમને પણ સિવિલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મુનાફ હનીફભાઈ મકરાણી નામના ૧૦ વર્ષના બાળકને મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જયારે મોરબીના વાંકાનેર દરવાજા પાસે મેઇન રોડ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ વાસુરભાઈ રાજાભાઈ બોરીચા નામના ૬૦ વર્ષીય આધેડને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે મસ્જીદ વિસ્તારમાં રહેતા રમઝાન સીદીકભાઈ હિંગરોજા નામનો ૩૨ વર્ષનો યુવાન આડેસર ગામના પીએચસી પાસેથી બાઈક લઈને પસાર થતો હતો તે દરમિયાનમાં તે નિચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી ખસેડાયો હતો






Latest News