ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપરમાં રહેતો યુવાન માળીયા(મિં.) નજીક આવેલ કચ્છના સામખયારી નજીક માછીમારી કરવા માટે ગયો હતો અને ત્યાં તે પાણીમાં તણાઈ જઇ ડૂબી જતા યુવાનનું મોત નીપજતા તેના કોહવાઇ ગયેલા મૃતદેહને મોરબી બાદ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડાયાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં શંકર મંદિરવાળી શેરીમાં રહેતો કિરણભાઈ વીરજીભાઈ વરાણીયા જાતે કોળી નામનો ૨૧ વર્ષનો યુવાન સામખયાળીના પુલ પાસે ડૂબી જતા તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જોકે ડેડબોડી ઉપર ઈજાના નિશાન હોય તેમજ ડેડબોડી કોહવાઈ ગયેલ હોવાથી મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી હોય તેવો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક કિરણભાઈ વરાણીયા માછીમારી કરવા માટે સામખયારી પુલ નજીક ગયો હતો અને ત્યાં પાણીમાં તણાઈને ડૂબી જવાથી તેમનું મોત નીપજયુ હતુ.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટું ગામે રહેતો અમિત ઈશ્વરભાઈ ગોસાઈ નામનો ૧૭ વર્ષીય યુવક બાઈક લઈને જતો હતો ત્યારે હળવદ હાઇવે ઉપર તેના બાઇકને બસ ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા અમિતભાઈને મોરબી ખાતેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો છે બનાવને પગલે હાલમાં જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા જયેશ કાંતિભાઈ બામણીયા નામના ત્રીસ વર્ષીય યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ગંગાબેન નારણભાઈ નાથાણી નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાએ બીમારી સબબ તેઓના ઘેર ફિનાઈલ પી લેતા તેમને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળની માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા દિવ્યાબેન અનિલભાઈ રાઠોડ નામની ૨૬ વર્ષીય પરણીતાને તેના પતિએ સરદાર બાગ પાસે માર મારતા તેણીને સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે






Latest News