વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત


SHARE











મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપરમાં રહેતો યુવાન માળીયા(મિં.) નજીક આવેલ કચ્છના સામખયારી નજીક માછીમારી કરવા માટે ગયો હતો અને ત્યાં તે પાણીમાં તણાઈ જઇ ડૂબી જતા યુવાનનું મોત નીપજતા તેના કોહવાઇ ગયેલા મૃતદેહને મોરબી બાદ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડાયાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં શંકર મંદિરવાળી શેરીમાં રહેતો કિરણભાઈ વીરજીભાઈ વરાણીયા જાતે કોળી નામનો ૨૧ વર્ષનો યુવાન સામખયાળીના પુલ પાસે ડૂબી જતા તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જોકે ડેડબોડી ઉપર ઈજાના નિશાન હોય તેમજ ડેડબોડી કોહવાઈ ગયેલ હોવાથી મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી હોય તેવો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક કિરણભાઈ વરાણીયા માછીમારી કરવા માટે સામખયારી પુલ નજીક ગયો હતો અને ત્યાં પાણીમાં તણાઈને ડૂબી જવાથી તેમનું મોત નીપજયુ હતુ.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટું ગામે રહેતો અમિત ઈશ્વરભાઈ ગોસાઈ નામનો ૧૭ વર્ષીય યુવક બાઈક લઈને જતો હતો ત્યારે હળવદ હાઇવે ઉપર તેના બાઇકને બસ ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા અમિતભાઈને મોરબી ખાતેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો છે બનાવને પગલે હાલમાં જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા જયેશ કાંતિભાઈ બામણીયા નામના ત્રીસ વર્ષીય યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ગંગાબેન નારણભાઈ નાથાણી નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાએ બીમારી સબબ તેઓના ઘેર ફિનાઈલ પી લેતા તેમને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળની માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા દિવ્યાબેન અનિલભાઈ રાઠોડ નામની ૨૬ વર્ષીય પરણીતાને તેના પતિએ સરદાર બાગ પાસે માર મારતા તેણીને સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે






Latest News