મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેનની મોટી દુર્ઘટના, અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડતા: બેના મોત, પાંચનો બચાવ


SHARE











વાંકાનેર રેલવે સ્ટેશન પાસે આજે સવારના સમયે રેલવેની સ્પેશિયલ ટ્રેનમાં કોચ લગાવવાની કામગીરી કરવામાં આવેલી હતી ત્યારે એન્જિન થી વધુ ધક્કો લાગી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં કામગીરી કરતા રેલવેના સાત કર્મચારીઓ ગંભીર રીતે કોચની વચ્ચે ફસાઈ ગયા હોય તે અંગેનો મેસેજ આવેલ હતો જેથી રેલવેના અધિકારી સહિતના તમામ વિભાગોના અધિકારીઓ તેની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા ત્યારે પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના સ્થળ ઉપર તાત્કાલિક દોડી આવ્યા હતા અને રેલવેના કોચની વચ્ચે ફસાયેલ રેલવે કર્મચારીઓમાં બેના મોત થયા હોવાનો મેસેજ આપવામાં આવેલ હતો અને પાંચ ફસાયા હતા તેને બહાર કાઢવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી હતી અને રેલવેના કોચની વચ્ચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કોચને ગેસ કટર વડે કાપીને તેમાંથી લોકોને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી જોકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી ત્યારબાદ સમગ્ર અકસ્માતની ઘટના મોકડ્રીલ હોવાનું સામે આવતા અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો






Latest News