મોરબીમાં માધાપરના મહારાજા ગણેશોત્સવમાં લતીપરની રાસ મંડળીએ કરી જમાવટ
SHARE
મોરબીમાં માધાપરના મહારાજા ગણેશોત્સવમાં લતીપરની રાસ મંડળીએ કરી જમાવટ
મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત માધાપરના મહારાજા ગણેશોત્સવનું આયોજન માધાપર રામજી મંદિરના ચોકમાં કરવામાં આવ્યું છે ત્યાં પ્રખ્યાત લતીપરની રાણબાઈ રાસ ગરબા મંડળી દ્વારા તલવાર રાસ અને ગરબાનો કાર્યક્ર્મ રાજુ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી પાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે. પરમાર, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રીષીપભાઈ કૈલા, અને સતવારા સમાજના અગ્રણી દાતા દર્શનભાઈ પરમાર, વોર્ડ નંબર,૬ ના સદસ્ય ભાઈઓ-બહેનો તેમજ માધાપરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથોસાથ કોરોનાથી મૃત્યુ પામેલ દિવંગત આત્માઓના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે આગામી તા.૧૨ થી શરૂ થવાની છે જેથી કરીને લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આગેવાનોના હસ્તે શ્રીગણેશ મહોત્સવના તમામ સહયોગી દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, ઉપપ્રમુખ કે.કે.પરમાર તેમજ તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી









