મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા


SHARE















મોરબીના રામધન આશ્રમ-જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ઋષિપાંચમના દિવસે બહેનોને પ્રસાદ અને સ્નાન,દર્શન સહિતની સુવિધા કરવામાં આવી હતી જેનો ઘણી બહેનોએ લાભ લીધો હતો ત્યાર બાદ ભાદરવી અગિયારસના રોજ મહંત ભાવેશ્વરી માતાજીનાં સાનિધ્યમાં યજ્ઞ,પ્રસાદ,ભજન તેમજ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રામદેવપીરને નેજો ચડાવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભક્તોએ લાભ લીધો તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવેલ છે. તો મોરબીના જીવાપર (ચ) ગામે રામદેવપીર મંદિરનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યા ગામ ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા અને શ્રી રામદેવપીર મારાજનો વરધોડો ગાજતે વાજતે નીકળ્યો હતો અને આ તકે જીવાપર (ચ) સરપંચ રાયમલભાઈ, ગૌતમભાઈ, રસિકભાઈ, રાજેશભાઈ તથા અલખધણી ગ્રુપ જીવાપર (ચ)ના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી






Latest News