માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા


SHARE













મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા

મોરબી શહેરમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કર્યા બાદ હવે દાદાની વિદાયની ઘડી આવી છે. ત્યારે અનઇચ્છનીય બનાવ ન બને તે માટે દર વર્ષની જેમાં પાલિકા દ્વારા સામૂહિક ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે અને જુદીજુદી ચાર જગ્યાએ લોકો પાસેથી મૂર્તિઓ લેવામાં આવશે અને તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે


મોરબીમાં શેરી-ગલીમાં અને પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો આરતીપૂજા, અર્ચન કરી રહયા છે અને હવે ગણપતિ દાદાને ભારે હૈયે લોકો વિદાય આપવાના છે ત્યારે ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી કોઈના મોત જેવીઓ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા તા ૯ ના રોજ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને શનાળા રોડે સ્કાય મોલ પાસેપોલીસ પરેડ ગ્રાઉન્ડએલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ લેવામાં આવશે અને ત્યાર બાદ ગણેશજીની મૂર્તિઓને જૂની આર.ટી.ઓ. કચેરી પાછળ મચ્છુ-૩ ડેમ પાસે સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવશે તેના માટે પાલિકા દ્વારા એક બોટ૧૦ તરવૈયા, ૫૦ થી વધુ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ રાખવામા આવશે 






Latest News