લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા


SHARE











મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા

મોરબી શહેરમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કર્યા બાદ હવે દાદાની વિદાયની ઘડી આવી છે. ત્યારે અનઇચ્છનીય બનાવ ન બને તે માટે દર વર્ષની જેમાં પાલિકા દ્વારા સામૂહિક ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે અને જુદીજુદી ચાર જગ્યાએ લોકો પાસેથી મૂર્તિઓ લેવામાં આવશે અને તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે


મોરબીમાં શેરી-ગલીમાં અને પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો આરતીપૂજા, અર્ચન કરી રહયા છે અને હવે ગણપતિ દાદાને ભારે હૈયે લોકો વિદાય આપવાના છે ત્યારે ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી કોઈના મોત જેવીઓ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા તા ૯ ના રોજ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને શનાળા રોડે સ્કાય મોલ પાસેપોલીસ પરેડ ગ્રાઉન્ડએલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ લેવામાં આવશે અને ત્યાર બાદ ગણેશજીની મૂર્તિઓને જૂની આર.ટી.ઓ. કચેરી પાછળ મચ્છુ-૩ ડેમ પાસે સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવશે તેના માટે પાલિકા દ્વારા એક બોટ૧૦ તરવૈયા, ૫૦ થી વધુ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ રાખવામા આવશે 






Latest News