મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા


SHARE













મોરબી નગરપાલિકા દ્વારા સામુહિક રીતે ગણેશ વિસર્જનની કરશે વ્યવસ્થા

મોરબી શહેરમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કર્યા બાદ હવે દાદાની વિદાયની ઘડી આવી છે. ત્યારે અનઇચ્છનીય બનાવ ન બને તે માટે દર વર્ષની જેમાં પાલિકા દ્વારા સામૂહિક ગણેશ વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે અને જુદીજુદી ચાર જગ્યાએ લોકો પાસેથી મૂર્તિઓ લેવામાં આવશે અને તેનું સલામત રીતે વિસર્જન કરવામાં આવશે


મોરબીમાં શેરી-ગલીમાં અને પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકો આરતીપૂજા, અર્ચન કરી રહયા છે અને હવે ગણપતિ દાદાને ભારે હૈયે લોકો વિદાય આપવાના છે ત્યારે ગણેશ વિસર્જન વખતે ડૂબી જવાથી કોઈના મોત જેવીઓ અનીચ્છનીય ઘટના ન બને તે માટે પાલિકા દ્વારા તા ૯ ના રોજ ગણેશજીની મૂર્તિઓનું સામુહિક વિસર્જન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને શનાળા રોડે સ્કાય મોલ પાસેપોલીસ પરેડ ગ્રાઉન્ડએલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લોકો પાસેથી ગણેશજીની મૂર્તિઓ લેવામાં આવશે અને ત્યાર બાદ ગણેશજીની મૂર્તિઓને જૂની આર.ટી.ઓ. કચેરી પાછળ મચ્છુ-૩ ડેમ પાસે સામૂહિક રીતે વિસર્જન કરવામાં આવશે તેના માટે પાલિકા દ્વારા એક બોટ૧૦ તરવૈયા, ૫૦ થી વધુ કર્મચારીઓ અને પોલીસ સ્ટાફ રાખવામા આવશે 






Latest News