વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા
મોરબીમાં યોજાનાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથા સંદર્ભે કાંતિભાઈ અમૃતિયાની પત્રકાર પરિષદ યોજાઇ
SHARE
મોરબીમાં યોજાનાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથા સંદર્ભે કાંતિભાઈ અમૃતિયાની પત્રકાર પરિષદ યોજાઇ
મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના તમામ સમાજ દ્વારા કથામાં સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે કથાના આયોજન સંદર્ભે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈની પત્રકાર પરિષદ યોજાઇ હતી
મોરબીમાં તા ૧૨ થી ૧૮ સુધી ભાઈશ્રી રમેશભાઈ ઓઝની કથા મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના પરિવાર દ્વારા યોજાવાની છે ત્યારે તા. ૧૧ ને રવિવારે બપોરે ૩ વાગ્યે મોરબીમાં પોથીયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમિયા માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ સર્કિટ હાઉસ, મહારાણા પ્રતાપ સર્કલ, વાઘજી ઠાકોર પ્રતિમા, વીસી ફાટક, શક્તિ ચોક, નગર દરવાજા ચોક, શાક માર્કેટ ચોક, વસંત પ્લોટ પાંચ રસ્તા, રામચોક, જયદીપ કંપની ચોક, સુપર માર્કેટ ચોક, સરદાર પટેલ પ્રતિમા, બાપાસીતારામ ચોક-રવાપર રોડ, સ્વાગત હોલ-રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, શક્તિ માતાજી મંદિર-સનાળાથી થઈ પટેલ સમાજ વાડી ખાતે સંપન્ન થશે. ત્યારે રસ્તામાં જુદીજુદી જ્ઞાતિ સમાજના આગેવાનો સહિતના લોકો વેપારી સંગઠનો, જુદાજુદા એસો. દ્વારા પોથીયાત્રાનું સ્વાગત કરવામાં આવશે
આ કથાના આયોજન સંદર્ભે મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કથા સ્થળે જ પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, કોરોનાના અત્યંત કપરા સમયમાં ઘણા પરિવારના સ્વજનોના અવસાન થયેલ છે અને તેઓની પાછળ જે તે સમયે તેમના સગા સંબંધીઓ કોઈ ધાર્મિક વિધિ કરી શક્યા ન હતા જેથી કરીને કોરોનામાં હતભાગી થયેલા લોકોના મોક્ષાર્થે અને સ્મરણાર્થે આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝ દ્વારા લોકોને કથાનું રસપાન કરાવવામાં આવશે અને જો કથા દિવંગતોની આત્માને મોક્ષ આપતી હોય તો તેના શ્રાવણથી લોકોને ખૂબ જ ફાયદો થાય તેમાં શંકાને કોઈ સ્થાન નથી જેથી કરીને મોરબી ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનો વધુને વધુ લોકોને લાભ લેવા માટે કાંતિભાઈએ આહ્વાન કર્યું છે