મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

વેકેશન પૂરું, હવે શું માલની માંગમાં વધારો થશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના મનમાં ઊઠતો સવાલ


SHARE







વેકેશન પૂરું, હવે શું માલની માંગમાં વધારો થશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગકારોના મનમાં ઊઠતો સવાલ

મોરબીની આસપાસમાં આવેલા સીરામીકના નાના મોટા યુનિટમાં મલનું ઉત્પાદન કરવામાં આવતું હતું તેની સામે સામે માંગ નહિવત હોવાથી એક મહિનો ઉદ્યોગને સંપૂર્ણ બંધ કરવા માટેનો મોરબી સિરમાઈક એસો. દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને આવતીકાલે એક મહિનો પૂરો થતાં એકી સાથે મોરબીના ૮૦૦ જેટલા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે અને છેલ્લા એક મહિનાથી ઉદ્યોગ બંધ હોવાથી બજારમાં માલની સારી માંગ નીકળશે તેવી સહુ કોઈને હાલમાં આશા અને અપેક્ષા છે

મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા સંયુક્ત રીતે તા. ૧૦ ઓગસ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી એક મહિનો મોરબીના તમામ સિરામિક કારખાનાઓને બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી કરીને છેલ્લા એક મહિનાથી આ કારખાના બંધ હતા અને મોરબી સિરામિક એસો.ના હોદ્દેદારો સહિતના દ્વારા લેવામાં આવેલા નિર્ણયમાં સભ્યોએ ખૂબ જ સારી રીતે સહકાર આપેલ છે જો કે, કારખાના બંધ કરવામાં આવ્યા તે પહેલા માલના ઉત્પાદન કરતાં માંગ ઓછી હતી જેથી કરીને ઉદ્યોગકારોને મુશ્કેલી હતી માટે બજારમાં માંગ અને પુરવઠાનો નિયમ જળવાઈ રહે તે માટે અને બજારમાં માંગ હોય તો માલનો પૂરતો ભાવ માટે તે માટે એક મહિનો કારખાનાને બંધ કરવામાં આવ્યા હતા જો કેએક મહિના સુધી કારખાના બંધ હોવાથી હવે અચ્છે દિન આવશે તેવી અપેક્ષા સાથે કાલથી મોરબીના ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનામાં સિરામિકનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે

હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં માલની માંગ નહિવત છે કેમ કે, કારખાનાને એક મહિના પહેલા જ્યારે બંધ કરવામાં આવ્યા હતા ત્યારે મોટા ભાગના ડીલરો, વેપારીઓ  સહિતનોએ માલનો સ્ટોક પોતાના ગોડાઉનમાં કરી લીધો હતો જે માલ આજની તારીખે પણ તેના ગોડાઉનમાં ભરેલ છે અને અહીના ઉદ્યોગકારોના કારખાનામાં પણ તૈયાર માલથી ગોડાઉન છલકાઈ રહ્યા છે જેથી કરીને ઉદ્યોગકારો હાલમાં મૂંઝવણમાં મુકાયા છે એક બાજુ ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનરના ભાડા, ગેસના ભાવ સહિતના પ્રશ્નો હજુ પહેલા હતા તેવી જ રીતે મોઢું ફાડીને ઊભા છે સાથોસાથ ડોમેસ્ટિક માર્કેટ અને એક્સપોર્ટ માર્કેટમાં પણ નજીકના દિવસોમાં મોટી માંગ સિરામિકની નીકળે તેવું દેખાતું નથી ત્યારે કાલથી  એક સાથે ૮૦૦ જેટલા કારખાનામાં સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે જેથી કરીને ઉદ્યોગકારોની મુશ્કેલી વધશે કે ઘટશે તે તો સમય જ બતાવશે






Latest News