માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટેલર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં કલીનરનું મોત: ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં ટેલર પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં કલીનરનું મોત: ગુનો નોંધાયો

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે રસ્તા ઉપર ઉભેલા ટેલર પાછળ ટ્રક ચાલકે પોતાનો ટ્રક અથડાવ્યો હતો જે બનાવવામાં ટ્રક ચાલક અને તેની સાથે બેઠેલ ક્લીનર બંનેને ઇજાઓ થઈ હતી અને ક્લીનરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં ટ્રક ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે ભુજ તાલુકાના માધાપરના રહેવાસી કાનજીભાઈ વિસાભાઇ સેંધાણી જાતે પટેલ (૨૯) એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૭૯૬૭ ના ચાલક પ્રહલાદભાઈ સોનજીભાઈ પરમાર રહે. લોદરા ઠાકોરવાસ સાંતલપુર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક બેફિકરાઈથી  ચલાવીને આગળના ભાગે ઉભેલ ટેલર નંબર જીજે ૩૬ ટી ૮૯૩૦ ની પાછળ તેનો ટ્રક અથડાવ્યો હતો જેથી ટ્રક ચાલક પ્રહલાદભાઈને તથા તેની સાથે ક્લીનર તરીકે વાહનમાં બેઠેલ રોહિતભાઈને ગંભીર જાઓ થઈ હતી અને રોહિતભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને હાલમાં ટ્રક ચાલક સામે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News