મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ
મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ
SHARE
મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે એક પછી એક સુવિધાઓ વધારવામાં આવી રહી છે ત્યારે આગામી તા. ૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે સંત કૂટીર અને ચબૂતરાનું લોકાર્પણ કરવા આવશે તેવું પરશુરામ ધામના સંચાલકોએ જણાવ્યુ છે
મોરબીના નવલખી રોડ ઉપર પરશુરામ ધામ બનાવવામાં આવેલ છે અને ત્યાં પરશુરામ ધામના ટ્રસ્ટી ભૂપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા એક પછી એક સુવિધા વધારવામાં આવી રહી છે અને હાલમાં ત્યાં સંત કુટીર અને ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને આગામી તા.૧૩ ના રોજ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ભાઈઓ, બહેનો સહિતનાઓને હાજર રહેવા માટે અનુરોધ કરાયો છે