મોરબી પરશુરામ ધામ ખાતે સંત કુટીર-ચબૂતરાનું કથાકાર રમેશભાઈ ઓઝા કરશે લોકાર્પણ
મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન
SHARE
મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીમાં માતાના મઢ જતા પદયાત્રીકોને રહેવા અને જમવાની સુવિધા મળી રહે તે માટે મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રીકોના સેવાર્થે કેમ્પ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા.૧૫ સપ્ટેમ્બર થી ૨૨ સપ્ટેમ્બર સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આશાપુરા મિત્ર મંડળ દ્વારા દેવ સોલ્ટ સુરાજબારી પુલ માળીયા નજીક સેવા કેમ્પ રાખવામાં આવે છે જેમાં પદયાત્રીકોને ૨૪ કલાક રહેવા-જમવા, ચા-નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે વધુ માહિતી માટે દિલીપસિંહ જાડેજા ૯૦૭૯૧ ૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧ ૮૯૧૪૩, દયારામભાઈ ૯૮૨૫૨ ૪૬૫૫૧ અને દિનેશ નાકરાણી ૯૫૩૭૮ ૨૧૭૬૬ નો સંપર્ક કરવા માટે કહ્યું છે