મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂતને પાકમાં નુકશાની બદલ દવા કંપનીને વ્યાજ સાથે ૭.૫૦ લાખ ચૂકવવા આદેશ


SHARE















મોરબીના ખેડૂતને પાકમાં નુકશાની બદલ દવા કંપનીને વ્યાજ સાથે ૭.૫૦ લાખ ચૂકવવા આદેશ

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના ફરિયાદી લાખાભાઈ રાધવજીભાઈ ડાંગરે પોતાના ખેતરમાં બી.ટી. કપાસ પાકનું વાવેતર કરેલ જેમાં કપાસ પાકમાં ફુગ નિયંત્રણ માટે સામાવાળા ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી.પાસેથી નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરતા દવા થકી પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ તેની સામે રાજકોટ જીલ્લા તકરાર નિવારણ આયોગે ૭,૫૦,૦૦૦ તથા ૬ ટકા લેખે ચડત વ્યાજ સાથે આપવા માટે ચુકાદો આપ્યો છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા ખેડૂતે વર્ષ ૨૦૧૯ માં બી.ટી.કપાસનું વાવેતર કરેલ અને પાકના વાવેતરની ઉપજ મેળવવા સખત અવિરત મહેનત, મજુરી કરેલ હતી આ કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી.ની નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરેલ હતી આ દવા તેના પ્રમાણિત પ્રમાણમાં ૩૦ એમ.એલ. થકી કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે છંટકાવ કરતા આ દવા થકી ફરિયાદીના પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ અને કપાસના છોડ લાંબા તથા બરડ થઈ ગયેલ અને ફાલફુલ સંકોચાઈ ગયેલ અને કપાસની ડાળીઓ પણ સંકોચાઈ ગયેલ હતી જેથી કંપનીને જાણ કરેલ અને નુકશાની ચુકવવા જણાવેલ હતું પરંતુ કંપનીએ નુકશાની ચુકવવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને નાયબ ખેતીવાડી નિયામક દ્વારા નુકશાનગ્રસ્ત પાક અને જગ્યાનું પંચરોજકામ કરવામાં આવેલ અને તે અંગેની નોટીસ કંપનીને આપવામાં આવેલ તેમ છતાં અમલવારી ન કરતા તે અંગેની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ સમક્ષ મોરબી ફરિયાદ નં .૯૨/૨૦૨૧ થી દાખલ કરેલ છે.

આ કામમાં નામદાર આયોગ દ્વારા કપાસના પાકને વિપરીત અસર થઈ નુકશાન થયેલ છે તે મુદાને પ્રોડકટ ડેફીસીયન્સી તરીકે ધ્યાને લીધેલ છે તેમજ નાયબ ખેતીવાડી અધિકારી તથા પ્રિન્સીપાલ પોલીટેકનિક દ્વારા જે પંચનામું કરવામાં આવેલ છે અને પાકની સ્થિતિ તથા આડઅસર સંબંધે દર્શાવવામાં આવેલ છે તેને નામદાર આયોગે સ્વીકારેલ છે અને ફરિયાદવાળી દવા નેકટર પ્લસને ઉત્પાદીત ખામી, ક્ષતિ, ત્રુટી વાળી અને નબળી ગુણવતા વાળી હોવાનું ઠરાવીને ફરિયાદીના કપાસના પાકને વિપરીત અસર થઈ અને ઉત્પાદન પણ ઘણું ઓછું થવા પામેલ હોય આ બાબતે ફરિયાદીના એડવોકેટ દ્વારા થયેલ ધારદાર રજુઆત તથા કેસ સંબંધીત ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ વિગેરેને ધ્યાને રાખી અરજદારની ફરિયાદ વિગતે માલ ઉત્પાદકતા તથા આર્થિક નુકશાનીનો કેસ માનેલ છે અને કંપની સહિત દુકાનદાર, ડીલરને સંયુકત અને વિભકત રીતે ફરિયાદી અરજદારને ૭,૫૦,૦૦૦ અરજી દાખલ તારીખથી ૨કમ વસુલ મળતા સુધી ૬ ટકાના ચડત વ્યાજ સાથે બે માસમાં ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરિયાદી લાખાભાઈ રઘાભાઈ ડાંગર વતી રાજકોટના જાણીતા વિદ્વાન યુવા ધારાશાસ્ત્રી રાજેશ યુ.પાટડીયા રોકાયેલ છે






Latest News