મોરબીના ખેડૂતને પાકમાં નુકશાની બદલ દવા કંપનીને વ્યાજ સાથે ૭.૫૦ લાખ ચૂકવવા આદેશ
મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત
SHARE
મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત
મોરબીના રવાપરમાં રહેતા અને મૂળ બગથળા ગામના યુવાનને ગાડીના રીપેરીંગ કામ માટે તેના મિત્રના ઓળખાણમાં એક ઇસમની પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે રકમની સામે દસ લાખ ચૂકવી દીધા હતા તો પણ સામેવાળાઓ દ્વારા ૧૭ લાખ રૂપિયાની માગણી કરીને યુવાનનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે પકડેલા આરોપી પાર્થ પ્રવિણભાઈ પોપટના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને જામીન મુક્ત કરલે છે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સુનિલભાઈ ધનજીભાઈ શેરસીયાએ ઉઘરાણીના પૈસા કઢાવવા માટે અપહરણ કરીને માર માર્યો હોવાની માલદે આહીર, લાલાભાઇ બોરીચા, પ્રકાશ નરભેરામ ભૂત અને પાર્થ પ્રવિણભાઈ પોપટ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપી પાર્થ પોપટની જામીન અરજી વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલ ઓઝા) અને મહેનાઝબેન પરમાર મૂકવામાં આવી હતી અને વકીલોની ધારદાર દલીલો રજૂઆતને ધ્યાને લઈને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીએ આરોપી પાર્થ પ્રવીણભાઈ પોપટના રેગ્યુલર ૧૦,૦૦૦ ના જામીન શરતોને આધીન મંજૂર કરેલ છે