મોરબીમાં અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલિકના કર્મચારીનો સન્માન-વિદાય સમારોહ યોજાયો
મોરબીમાં રવિવારે બે સ્થળોએ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ
SHARE
મોરબીમાં રવિવારે બે સ્થળોએ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ
મોરબીના બે જુદાજુદા સ્થળોએ આવતા રવિવારે પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવશે.
પ્રકૃતિ પ્રેમીઓને નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા જીણ કરવમાં આવેલ છેકે મોરબીના શનાળા રોડ ખાતે ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર નજીક આગામી તા.૧૧- ૯ (દર મહિનાના બીજા રવિવારે) સવારે ૮:૩૦ થી બોપોરે ૧ સુધી કેમ્યનું આયોજન કરાયેલ છે.જેમા ખરખોડી (ડોડી) ના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.તેમજ કેસર કલમી આંબા (૧૦૦ રૂપિયા) નું રાહત દરે વિતરણ કરાશે.તેમજ હાથે ખાંડેલ દેસી ઓસડિયા, અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, કદમ-ફાલસાના રોપા તેમજ વિવિધ જાતના ફૂલછોડ નું રાહત દરે વિતરણ કરવામાં આવશે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો. ૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ-રાજકોટ (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.
હરડે પ્રચાર કેન્દ્ર
હરડે પ્રચાર કેન્દ્ર-મોરબી દ્વારા પણ મોરબીમાં આગામી તા.૧૧ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ દરમ્યાન અહિંના માર્કેટિંગ યાર્ડની પાસે આરડીસી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ,મોરબી ખાતે પ્રાકૃતીક વસ્તુઓનું વેચાણ કરાશે.કેમ્પમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે યાદીમાં જણાવેલ છે કે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌએ આ વેંચાણ કેન્દ્રનો લાભ લેવો.નિરોગી રહીએ પ્રકૃતિ તરફ વળીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અને તે માટે ખરીદીએ જતા સમયે ઘરેથી જ કાપડની થેલી સાથે લાવીએનો અભીગમ કેળવવા અપીલ કરવામાં આવેલ છે