માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત


SHARE













ગાંધીધામના યુવાન ઉલટી થતાં સારવાર દરમ્યાન વાંકાનેર સિવિલમાં મોત

ગાંધીધામના યુવાન ઉલટી અને પેટમાં દુખાવો થતાં સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેને હાર્ટએટેક આવી જતા તેનું હોસ્પિટલ સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ગાંધીધામના રહેવાસી યોગેશભાઈ કુમારભાઈ યાદવ ઉંમર વર્ષ ૪૦ ને ઉલટી અને પેટમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર ચાલુ હતી દરમિયાન તેને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને મૃતક યુવાનના વાલી વારસ નથી જેથી હાલમાં વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વૃદ્ધનું મોત

વાંકાનેર ના રણજીતનગરમાં ભારત ઓઇલ મીલ પાછળના ભાગમાં રહેતા પરસોતમભાઈ મેરૂભાઈ સરાવાડીયા (ઉંમર વર્ષ ૬૨) વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા દરમિયાન તેઓને હાર્ટ અટેક આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું જેથી કરીને બનાવની વાંકાનેર સિટી પોલીસે જાહેર કરવામાં આવી હતી.

વરલી જુગાર

વાંકાનેરમાં સ્ટેચ્યુ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી સોયેબ ઉર્ફે સોયબો આદમભાઇ રવાણી જાતે મતવા (૩૨) રહે. દીવાનપરા ઇદ મસ્જીદવાળી શેરી વાંકાનેર અને રમેશભાઇ તેજાભાઇ ગોરીયા જાતે કોળી (૫૪) રહે. આરોગ્યનગર મફતીયાપરા વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જ અત્યારે ને પોલીસે તેઓની પાસેથી રોકડા ૨૭૮૦ તેમજ ૭૦૦૦ ના બે મોબાઇલ આમ કુલ મળીને ૯૭૮૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News