ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોંઘવારી મુદે કોંગ્રેસે આપેલા આંશિક બંધના એલાનને મોરબી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદઃ લલીતભાઇ કગથરા સહિતના હાજર રહ્યા


SHARE







મોંઘવારી મુદે કોંગ્રેસે આપેલા આંશિક બંધના એલાનને મોરબી જિલ્લામાં મિશ્ર પ્રતિસાદઃ લલીતભાઇ કગથરા સહિતના હાજર રહ્યા

વર્તમાન સમયમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે કોંગ્રેસ દ્વારા તા ૧૦ ના રોજ મોંઘવારીના મુદે અડધો દિવસ બંધનું એલાન કર્યું હતુ જેથી મોરબી શહેર અને જિલ્લાના લોકો અડધો દિવસ ગુજરાત બંધમાં જોડાયા હતા અને લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતા માટે મોરબી જિલ્લામાં કોંગ્રેસના બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને મોરબીની બજારો બંધ હતી ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતા એક અગત્યના કોંગ્રેસના આગેવાનો મોરબીની મુખ્ય બજારોમાં હાજર રહ્યા હતા.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જંયતીલાલ પટેલે જણાવ્યુ છે કે, સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ભારત અને ગુજરાતમાં ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્યોગકારો, કિશાનો, મધ્યમવર્ગનાં લોકો હેરાન છે. અને પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ હાલમાં આસમાને પહોચ્યા છે ત્યારે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતુ અને મોંઘવારી ચરમ સીમાએ છે. ત્યારે લોકોને રાહત આપવાની જગ્યાએ અનાજ, ઘઉંનો લોટ, દૂધ, દહીં, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ઉપર જી.એસ.ટી લગાવીને લોકોને વધુ હેરાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને પ્રજા વિરોધી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરવા કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધ (આંશિક બંધ)નું એલાન કરવામાં આવ્યું હતું તેમાં સ્વયંભૂ રીતે વેપારીઓ જોડાયા હતા અને મોરબી શહેર અને જિલ્લાની મુખ્ય બજારોમાં મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી જેથી કરીને કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું તેને મોરબી શહેર અને જિલ્લામાં જોવા મળ્યો હતો તેવું કહીએ તો તેમાં આદ્યશક્તિ નથી આજે જ્યારે મોરબીની બજારો બંધ હતી ત્યારે મહેશભાઈ રાજ્યગુરુ, મુકેશભાઈ ગામી, દેવજીભાઈ પરેચા, દેવેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ચૌહાણ, ચેતનભાઇ એરવાડીયા, કે.ડી. પડસુંબિયા, રાજુભાઈ કાવર, કે.ડી. બાવરવા, ચિંતન રાજ્યગુરુ, રમેશભાઈ રબારી સહિતના આગેવાનો અને કાર્યકરો જુદાજુદા વિસ્તારમાં હાજર રહ્યા હતા.






Latest News