મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી


SHARE









મોરબીમાં 'સિદ્ધિવિનાયક કા રાજા'ની વિસર્જન યાત્રામાં જાણીતા યુટુબર 'ખજૂરભાઇ' ઉર્ફે નીતિન જાનીની હાજરી, હજારોની જનમેદની ઉમટી પડી

મોરબી શહેરમાં આજે સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવની વિસર્જન યાત્રા નીકળી હતી ત્યારે જાણીતા યુટ્યુબર ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની પણ ત્યારે હાજર રહ્યા હતા છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં ઘરે ઘરે અને પાંડલમાં ગણેશજીનું સ્થાપન કરીને લોકોએ આરાધના કરતા હતા અને  મોરબીમાં સૌથી મોટું અરવિંદભાઇ બારૈયા અને તેની ટીમ દ્વારા "સિદ્ધિ વિનાયક કા રાજા" ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં દાદાના દર્શન અને આરતીનો હજારો લોકોએ લાભ પણ લીધો હતો ત્યારે ભારે હૈયે દાદાને વિદાય આપવામાં આવી હતી અને વિસર્જન યાત્રામાં ‘ખજૂર’ ઉર્ફે નીતિન જાની મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક ખાતે હાજર રહ્યા હતા અને માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા સહિતના આગેવાનો પણ ત્યાં હાજર હતા અને તેની હાજરીમાં ગણપતિ દાદાની વિસર્જન યાત્રાની છેલ્લી મહાઆરતી યોજાઇ હતી.આ તકે ગણેશજીને વિદાય આપવા અને પોતાના પ્રિય "ખજૂર" ઉર્ફે નીતિનભાઈ જાનીને જોવા માટે હૈયેહૈયુ દળાય તેટલી જનમેદની ઉંમટી પડી હતી.






Latest News