મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા


SHARE













મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલે તા.૧૧ ના સામાકાંઠે ઉમાટાઉનશીપથી ધામધૂમથી પોથીયાત્રા યોજવાની છે જેનું વિવિધ જ્ઞાતી સમાજો દ્રારા સ્વાગત કરાશે.બાદમાં ભાઇશ્રીના હસ્તે પ્રેસમિડીયાના મિત્રો તેમજ તેમના પરીવારોનું સન્માન અને કોરોનામાં દિવંગત થયેલા મૃતકોના પરીવારજનોને સાંત્વના પાઠવવામાં આવશે.તે પૂર્વે કથાની છેલ્લા ઘડીને તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની સાથે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, નીરજભાઈ ભટ્ટ, બચુભા રાણા, અમૃતિયા પરિવારના સભ્યો સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો-સ્વજનો સાથે એક મિટિંગનું આયોજન કથા સ્થળે કરવામાં આવેલ જેમા ખૂબ મોટી સંખ્યામાંએ મૃતકોના સ્વજનો આવ્યા હતા અને ખૂબ જ લાગણીશીલ વાતાવરણ બન્યું હતુ.કથા સ્થળે ૫૦૦ થી વધારે કોરોના દિવંગતોના ફોટો રાખવામાં આવશે.પરિવારજનોને સંકલ્પ લેવડાવવામાં આવશે કોરોના દિવંગતોના પરિવારજનો માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે.તેમ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું.






Latest News