ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ
Breaking news
Morbi Today

મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા


SHARE









મોરબી : કોરોના દિવંગતોના મોક્ષર્થે પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પરિવાર દ્વારા આયોજિત કથાનીતડામાર તૈયારીઓ, કાલે પોથીયાત્રા

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના સમય દરમ્યાન સ્વર્ગસ્થ થયેલા મૃતકો પાછળ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલે તા.૧૧ ના સામાકાંઠે ઉમાટાઉનશીપથી ધામધૂમથી પોથીયાત્રા યોજવાની છે જેનું વિવિધ જ્ઞાતી સમાજો દ્રારા સ્વાગત કરાશે.બાદમાં ભાઇશ્રીના હસ્તે પ્રેસમિડીયાના મિત્રો તેમજ તેમના પરીવારોનું સન્માન અને કોરોનામાં દિવંગત થયેલા મૃતકોના પરીવારજનોને સાંત્વના પાઠવવામાં આવશે.તે પૂર્વે કથાની છેલ્લા ઘડીને તૈયારીઓ કરવામાં આવી રહી છે આ તકે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયાની સાથે શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, નીરજભાઈ ભટ્ટ, બચુભા રાણા, અમૃતિયા પરિવારના સભ્યો સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કોરોના દિવંગતોના પરિવારજનો-સ્વજનો સાથે એક મિટિંગનું આયોજન કથા સ્થળે કરવામાં આવેલ જેમા ખૂબ મોટી સંખ્યામાંએ મૃતકોના સ્વજનો આવ્યા હતા અને ખૂબ જ લાગણીશીલ વાતાવરણ બન્યું હતુ.કથા સ્થળે ૫૦૦ થી વધારે કોરોના દિવંગતોના ફોટો રાખવામાં આવશે.પરિવારજનોને સંકલ્પ લેવડાવવામાં આવશે કોરોના દિવંગતોના પરિવારજનો માટે બેસવાની અલગ વ્યવસ્થા કરવામાં આવશે.તેમ કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું.






Latest News