વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત
SHARE
વાંકાનેરના ભલગામમાં મામાના ઘરે આવેલ ભાણેજનું ઝેરી જનાવર કરડી જતાં મોત
વાંકાનેર તાલુકાના ભલગામ પાસે મામાના ઘરે આવેલ ભાણેજને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના ભલગામ પાસે લાખાભાઈ ભરવાડની વાડીએ રહેતા ગોપાલભાઈ માનસિંગભાઈ પરમારના ઘરે તેની ભાણેજ અર્પિતા જેસિંગભાઈ સોલંકી (૩) આવી હતી અને ત્યારે રાતે તેને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી ઝેરી અસર થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજયું હતું જેથી કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે