મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી
મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે
SHARE
મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે
ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે મોરબી જલારામ મંદિર દ્વારા આશાપુરાના પદયાત્રિકો માટે સેવા કેમ્પ યોજાશે અને આ કેમ્પમાં પદયાત્રિકો માટે ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવાની સુવિધા ઉપરાંત મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરાની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનુ આયોજન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા તા.૨૦ થી તા.૨૫ દરમિયાન ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે ભવ્ય સેવા કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવાની સુવિધા , મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. પદયાત્રામા જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હીતેશભાઈ જાની- મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમા જણાવ્યુ છે