માળીયા (મી)ના હરીપર પાટીયા પાસે ટ્રક ટ્રેલરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત ટંકારા નજીક આઇસર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી રિક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ એક બાળકનું મોત ટંકારાના સરાયા ગામ નજીક આઇસરની પાછળ ખાનગી ટ્રાવેલ્સ બસ અથડાતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં હળવદના મિયાણી ગામ પાસે ભૂંડ પકડવા બાબતે માથાકૂટમાં તલવાર વડે હુમલો: હવે સામસામી ફરિયાદ મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોર્ચાના ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ વ્યાસની વરણી સૌની યોજના લિંક-૩: વાંકાનેર તાલુકાના તળાવોને નર્મદાના નીરથી ભરવાનું કામ પૂરજોશમાં ચાલુ મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા વસ્તીગણતરીના ગણતરીદારોના હુકમ બાબત કમિશ્નર-મામલતદારને કરાઇ રજુઆત મોરબીના આલાપ રોડ ઉપર દબાણ દૂર કરવા સહિતના મુદ્દે 27 સોસાયટીના લોકોની મિટિંગ મળી
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો


SHARE













હળવદના નવા દેવળીયામાં પંચાયતનું મીટર બદલાવવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને બે શખ્સોએ મારમાર્યો

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે પંચાયતનું મીટર બદલાવવા માટે ગયેલા વીજ કંપનીના કર્મચારીને ગામના બે શખ્સો દ્વારા અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને ગાળો આપવામાં આવી હતી અને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી રાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા વીજ કંપનીના કર્મચારી દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારા મારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી અને હાલમાં ચરાડવા એસબીઆઇ બેન્ક વાળી શેરીમાં રહેતા મહેન્દ્રભાઈ સુરમાભાઈ રોત જાતે હિન્દુ આદિવાસી (ઉંમર ૩૨) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનસુખભાઈ ભગવાનભાઈ પટેલ અને મહેશભાઈ પટેલ રહે. બંને નવા દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ ચરાડવા પીજીવીસીએલમાં ફરજ બજાવે છે અને તેની ફરજ ના ભાગરૂપે નવા દેવળીયા ગામે પંચાયત ઓફિસનું મીટર બદલાવા માટે થઈને ગયા હતા ત્યારે પંચાયત ઓફિસ બંધ હતી અને સરપંચના મોબાઈલ નંબર તેની પાસે ન હોય તેમણે આરોપી મનસુખભાઈ અને મહેશભાઈ પાસે સરપંચના નંબર માંગ્યા હતા અને ત્યારબાદ તે લોકોએ વીજ કંપનીના જવાબદાર અધિકારી સાથે ફોનમાં વાત કરી હતી અને ભોગ બનેલ મહેન્દ્રભાઈ કશું સમજે ત્યારે પહેલા ગાળો આપીને બંને શખ્સો દ્વારા તેને ઢિકા પાટુનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારે અમારું કામ કેમ નથી કરતા તેવું કહીને તેને માર મારીને જાનથી મારી નાખવાની આરોપીઓએ ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહેન્દ્રભાઈ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકાવટ, મારામારી અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News