મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલમાં મંદિરની બાજુમાં લઘુશંકા કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો


SHARE









વાંકાનેરના માટેલમાં મંદિરની બાજુમાં લઘુશંકા કરવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બે સામે નોંધાયો ગુનો

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ દશામાના મંદિરની બાજુમાં લઘુશંકા કરવા માટે ગયેલા યુવાનને અહીં કેમ લઘુશંકા કરવા આવે છે તેવું કહીને બે શખ્સોએ ગાળો આપીને માર માર્યો હતો અને ત્યારે તે બે પૈકીના એક શખ્સે છરી વડે યુવાનને પગ અને ગળાના ભાગે ઈજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લાવ્યા હતા અને બાદમાં યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા લાલજીભાઈ ટીસાભાઇ સરાવાડીયા જાતે કોળી (ઉંમર ૨૩) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુરેશ સાદુરભાઈ વિજવાડીયા અને વિપુલ ધીરાભાઈ રહે. બંને માટેલ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, માટેલ ગામે આવેલ દશામાના મંદિર પાસે સાઈડમાં તે લઘુશંકા કરવા માટે ગયો હતો ત્યારે આરોપીઓએ તેની પાસે આવીને અહીં કેમ લઘુશંકા કરે છે તેવું કહીને બંને શખ્સોએ તેને ગાળો આપી હતી અને માર માર્યો હતો ત્યારે વિપુલ ધીરાભાઈએ છરી વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને પગ અને ગળાના ભાગે છરી વડે ઇજા કરી હતી જેથી કરીને ઈજાગ્રસ્ત લાલજીભાઈને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર મામાદેવના મંદિર પાસેથી બાઈક નંબર જીજે ૩૬ એડી ૩૧૩૧ લઈને ઋત્વિકભાઈ તરશીભાઈ ઘોડાસરા જાતે પટેલ (ઉંમર ૨૨૦ રહે. ખાનપર વાળો પસાર થતો હતો ત્યારે તેને અજાણ્યા ડમ્પર ચાલકે પાછળથી બાઇકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઋત્વિકને પગના ઢીંચણના ભાગે તથા ડાબી આંખ અને નાક પાસે ઈજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલાક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News