ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા


SHARE













મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા

મોરબી જિલ્લાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યલય ખાતે રહેતા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના નિવાસ સ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા અને તેના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિધાલય ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા રહેતા હોવાથી તેના નિવાસસ્થાને કિસાન સંઘના આગેવાનો અને કાર્યકરો દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલમાં કિસાન સંઘ દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેમાં સમાન વીજદર કરવો, મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહીને, બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાભ આપો, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, કિસાન સૂર્યોદય યોજના તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો સહિતના પ્રશ્નોનો  સમાવેશ થાય છે

તે ઉપરાંત ખેતી અને પશુપાલન માટે પશુપાલકોને લીટરે ૨.૦૦ રૂપિયા સહાય આપવી સીધી બેંક ખાતામાં, ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ ગાડાની માન્યતા અપાવી, ટેક્ષ દુર કરવો, ખેતીવાડીમાં ખાનગી કૃષિ યુનીવર્સીટીઓને માન્યતા નહિ આપવી, માન્યતા આપેલ યુનીવર્સીટીઓમાં સીટો નહિ વધારવી
ખેડૂતો દ્વારા ફેન્સીંગ વાડની કામગીરી ચાલુ છે તેને ઝડપથી ગ્રાન્ટ આપવી ડીપ ઈરીગેશન સીસ્ટમમાં જીએસટી નાબુદ કરવી અને ૯૦ ટકા સહાય આપવી તેમજ મહેસુલ વિભાગ દ્વારા રી-સર્વે રદ કરવા અથવા જમીન માપણી ઝડપી કરવા માંગ કરવામાં આવી છે






Latest News