મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા


SHARE









મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા

મોરબી જિલ્લાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યલય ખાતે રહેતા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના નિવાસ સ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા અને તેના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિધાલય ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા રહેતા હોવાથી તેના નિવાસસ્થાને કિસાન સંઘના આગેવાનો અને કાર્યકરો દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલમાં કિસાન સંઘ દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેમાં સમાન વીજદર કરવો, મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહીને, બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાભ આપો, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, કિસાન સૂર્યોદય યોજના તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો સહિતના પ્રશ્નોનો  સમાવેશ થાય છે

તે ઉપરાંત ખેતી અને પશુપાલન માટે પશુપાલકોને લીટરે ૨.૦૦ રૂપિયા સહાય આપવી સીધી બેંક ખાતામાં, ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ ગાડાની માન્યતા અપાવી, ટેક્ષ દુર કરવો, ખેતીવાડીમાં ખાનગી કૃષિ યુનીવર્સીટીઓને માન્યતા નહિ આપવી, માન્યતા આપેલ યુનીવર્સીટીઓમાં સીટો નહિ વધારવી
ખેડૂતો દ્વારા ફેન્સીંગ વાડની કામગીરી ચાલુ છે તેને ઝડપથી ગ્રાન્ટ આપવી ડીપ ઈરીગેશન સીસ્ટમમાં જીએસટી નાબુદ કરવી અને ૯૦ ટકા સહાય આપવી તેમજ મહેસુલ વિભાગ દ્વારા રી-સર્વે રદ કરવા અથવા જમીન માપણી ઝડપી કરવા માંગ કરવામાં આવી છે






Latest News