મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા


SHARE











મોરબી જીલ્લામાં રાજ્યમંત્રીના નિવસ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ધરણાં યોજાયા

મોરબી જિલ્લાના વીરપર પાસે આવેલ નાલંદા વિદ્યલય ખાતે રહેતા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના નિવાસ સ્થાને ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા અને તેના પ્રશ્નોને ઉકેલવાની માંગ કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ નાલંદા વિધાલય ખાતે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા રહેતા હોવાથી તેના નિવાસસ્થાને કિસાન સંઘના આગેવાનો અને કાર્યકરો દ્વારા પડતર પ્રશ્નોને લઈને ધરણા કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલમાં કિસાન સંઘ દ્વારા જે માંગણી કરવામાં આવી છે તેમાં સમાન વીજદર કરવો, મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહીને, બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી, સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાભ આપો, બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે, કિસાન સૂર્યોદય યોજના તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવો સહિતના પ્રશ્નોનો  સમાવેશ થાય છે

તે ઉપરાંત ખેતી અને પશુપાલન માટે પશુપાલકોને લીટરે ૨.૦૦ રૂપિયા સહાય આપવી સીધી બેંક ખાતામાં, ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ ગાડાની માન્યતા અપાવી, ટેક્ષ દુર કરવો, ખેતીવાડીમાં ખાનગી કૃષિ યુનીવર્સીટીઓને માન્યતા નહિ આપવી, માન્યતા આપેલ યુનીવર્સીટીઓમાં સીટો નહિ વધારવી
ખેડૂતો દ્વારા ફેન્સીંગ વાડની કામગીરી ચાલુ છે તેને ઝડપથી ગ્રાન્ટ આપવી ડીપ ઈરીગેશન સીસ્ટમમાં જીએસટી નાબુદ કરવી અને ૯૦ ટકા સહાય આપવી તેમજ મહેસુલ વિભાગ દ્વારા રી-સર્વે રદ કરવા અથવા જમીન માપણી ઝડપી કરવા માંગ કરવામાં આવી છે






Latest News