મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ


SHARE













માળીયા (મી.) તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માળીયા તાલુકા કોંગ્રેસની માંગ

માળીયા (મી.) તાલુકામાં ચાલુ વર્ષે સતત વરસાદના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું છે જેથી કરીને આ તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે અને માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપીને રાજ્યના કૃષિમંત્રીને રજૂઆત કરવામાં આવી છે આ તકે માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ વિડજા, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, સતિષભાઈ વામજા, માળીયા તાલુકા પંચાયતના વિપક્ષ નેતા અશોકભાઈ કૈલા, બળદેવભાઈ દેત્રોજા, ચંદુભાઈ બાપોદરીયા તથા અલ્પેશભાઈ દેત્રોજા સહિતના હાજર રહ્યા હતા અને રજૂઆત કરેલ છે કે, સતત વરસાદ પડવાના લીધે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો વાવણી કરી શક્યા નથી. અને જેને વાવણી કરેલ છે તે નિષ્ફળ ગયેલ છે જેથી સરકાર તાત્કાલિક સર્વે કરાવીને માળીયા (મી.) તાલુકાને સંપૂર્ણ લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરેલ છે અને જો યોગી નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતોના સહકારથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News