મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા


SHARE











રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા

મોરબીમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કથા ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં રજડતા ગૌવંશ માટે તેઓએ જે વાત વ્યાસપીઠ ઉપરથી બુધવારે કરી હતી તેના માટે ગુરુવારે કથામાં માલધારીઓની જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે, પશુપાલકો કહેવાને બદલે માલધારી શબ્દનો ઉપયોગ કર્યો જે એક  સમાજને ટાર્ગેટ કર્યો હોય તેવું લગતા હું માલધારી સમાજની માફી માંગુ છું

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની કથા બેસાડવામાં આવી છે અને બુધવારે કથા દરમ્યાન રજડતા ગૌવશ માટે કહ્યું હતું કે, “માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે દૂધ પીવાનું બંધ કરો, દૂધ પચશે નહીં અને નામક હરામિ કહેવાય” જેથી માલધારી સમાજની લાગણી દુભાઈ હતી અને જેથી કરીને ગુરુવારે કથામાં રમેશભાઈ ઓઝાએ કહયું હતું કે, પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો હતો તે માટે માલધારી સમાજની હું કાન પકડીને માફી માંગુ છું






Latest News