મોરબી-માળીયાનાં ૪૨ ગામમાં સતત વરસાદથી થયેલ નુકશાની માટે સર્વે શરૂ કરાયો: લલિતભાઈ કગથરા
રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા
SHARE
રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા
મોરબીમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કથા ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં રજડતા ગૌવંશ માટે તેઓએ જે વાત વ્યાસપીઠ ઉપરથી બુધવારે કરી હતી તેના માટે ગુરુવારે કથામાં માલધારીઓની જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે, પશુપાલકો કહેવાને બદલે માલધારી શબ્દનો ઉપયોગ કર્યો જે એક સમાજને ટાર્ગેટ કર્યો હોય તેવું લગતા હું માલધારી સમાજની માફી માંગુ છું
મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની કથા બેસાડવામાં આવી છે અને બુધવારે કથા દરમ્યાન રજડતા ગૌવશ માટે કહ્યું હતું કે, “માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે દૂધ પીવાનું બંધ કરો, દૂધ પચશે નહીં અને નામક હરામિ કહેવાય” જેથી માલધારી સમાજની લાગણી દુભાઈ હતી અને જેથી કરીને ગુરુવારે કથામાં રમેશભાઈ ઓઝાએ કહયું હતું કે, પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો હતો તે માટે માલધારી સમાજની હું કાન પકડીને માફી માંગુ છું