ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા


SHARE













રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા

મોરબીમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કથા ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં રજડતા ગૌવંશ માટે તેઓએ જે વાત વ્યાસપીઠ ઉપરથી બુધવારે કરી હતી તેના માટે ગુરુવારે કથામાં માલધારીઓની જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે, પશુપાલકો કહેવાને બદલે માલધારી શબ્દનો ઉપયોગ કર્યો જે એક  સમાજને ટાર્ગેટ કર્યો હોય તેવું લગતા હું માલધારી સમાજની માફી માંગુ છું

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની કથા બેસાડવામાં આવી છે અને બુધવારે કથા દરમ્યાન રજડતા ગૌવશ માટે કહ્યું હતું કે, “માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે દૂધ પીવાનું બંધ કરો, દૂધ પચશે નહીં અને નામક હરામિ કહેવાય” જેથી માલધારી સમાજની લાગણી દુભાઈ હતી અને જેથી કરીને ગુરુવારે કથામાં રમેશભાઈ ઓઝાએ કહયું હતું કે, પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો હતો તે માટે માલધારી સમાજની હું કાન પકડીને માફી માંગુ છું






Latest News