મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા


SHARE







રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા

મોરબીમાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની શનાળા ગામે પટેલ સમાજ વાડીમાં કથા ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં રજડતા ગૌવંશ માટે તેઓએ જે વાત વ્યાસપીઠ ઉપરથી બુધવારે કરી હતી તેના માટે ગુરુવારે કથામાં માલધારીઓની જાહેરમાં કાન પકડીને માફી માંગી હતી અને કહ્યું હતું કે, પશુપાલકો કહેવાને બદલે માલધારી શબ્દનો ઉપયોગ કર્યો જે એક  સમાજને ટાર્ગેટ કર્યો હોય તેવું લગતા હું માલધારી સમાજની માફી માંગુ છું

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાની કથા બેસાડવામાં આવી છે અને બુધવારે કથા દરમ્યાન રજડતા ગૌવશ માટે કહ્યું હતું કે, “માલધારીઓ ગામના જોખમે અને ખર્ચે દૂધ પીવાનું બંધ કરો, દૂધ પચશે નહીં અને નામક હરામિ કહેવાય” જેથી માલધારી સમાજની લાગણી દુભાઈ હતી અને જેથી કરીને ગુરુવારે કથામાં રમેશભાઈ ઓઝાએ કહયું હતું કે, પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો હતો તે માટે માલધારી સમાજની હું કાન પકડીને માફી માંગુ છું






Latest News