માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા


SHARE











કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા

મોરબીમાં કોરોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા લોકોને કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા ઘટતી જાય છે જે સમાજ માટે નુકશાનકારક છે અને જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

મોરબીમાં કથાકાર રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે જેમાં જુદાજુદા ધાર્મિક પ્રસંગોને આગવી શૈલીમાં શ્રોતાઓ સમક્ષ કથાકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ વર્તમાન સ્થિતિ પરીથીતિને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા દિવસને દિવસે ઘટતી જાય છે જે સમાજને નુકશાન કરશે તે નિશ્ચિત છે વધુમાં એવું પણ કહ્યું હતુ કે, જનપ્રતિનિધિઓને રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રનીતિ માટે કામ કરવાની જરૂર છે તો જ રાષ્ટ્રનું ભલું થશે અંતમાં તેઓએ વારંવાર જુદાજુદા વિવાદો  સામે આવતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

આ કથાના ચોથા દિવસે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ,ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયુભાઈ જાડેજા, કિશોરભાઇ ચિખલિયા, અમુભાઈ હુંબલ, જીતુભાઈ મહેતા સહિતના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધામધુમથી કથા મંડપમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો






Latest News