ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા


SHARE













કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા

મોરબીમાં કોરોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા લોકોને કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા ઘટતી જાય છે જે સમાજ માટે નુકશાનકારક છે અને જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

મોરબીમાં કથાકાર રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે જેમાં જુદાજુદા ધાર્મિક પ્રસંગોને આગવી શૈલીમાં શ્રોતાઓ સમક્ષ કથાકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ વર્તમાન સ્થિતિ પરીથીતિને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા દિવસને દિવસે ઘટતી જાય છે જે સમાજને નુકશાન કરશે તે નિશ્ચિત છે વધુમાં એવું પણ કહ્યું હતુ કે, જનપ્રતિનિધિઓને રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રનીતિ માટે કામ કરવાની જરૂર છે તો જ રાષ્ટ્રનું ભલું થશે અંતમાં તેઓએ વારંવાર જુદાજુદા વિવાદો  સામે આવતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે

આ કથાના ચોથા દિવસે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ,ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયુભાઈ જાડેજા, કિશોરભાઇ ચિખલિયા, અમુભાઈ હુંબલ, જીતુભાઈ મહેતા સહિતના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધામધુમથી કથા મંડપમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો






Latest News