રજડતા ઢોર માટે પશુપાલકોના બદલે માલધારી શબ્દ બોલાયો તે માટે માલધારી સમાજની માફી માંગતા રમેશભાઈ ઓઝા
કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા
SHARE
કિર્તિ રૂપે કમાણી કરે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે: રમેશભાઈ ઓઝા
મોરબીમાં કોરોના મોક્ષાર્થે યોજાયેલ ભાગવત કથામાં કથાકાર રમેશભાઈ ઓઝા લોકોને કથાનું રસપાન કરવી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા ઘટતી જાય છે જે સમાજ માટે નુકશાનકારક છે અને જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે
મોરબીમાં કથાકાર રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે જેમાં જુદાજુદા ધાર્મિક પ્રસંગોને આગવી શૈલીમાં શ્રોતાઓ સમક્ષ કથાકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેઓએ વર્તમાન સ્થિતિ પરીથીતિને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, સાચું કહેવા વાળા અને સાચું સાંભળવા વાળાની સંખ્યા દિવસને દિવસે ઘટતી જાય છે જે સમાજને નુકશાન કરશે તે નિશ્ચિત છે વધુમાં એવું પણ કહ્યું હતુ કે, જનપ્રતિનિધિઓને રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રનીતિ માટે કામ કરવાની જરૂર છે તો જ રાષ્ટ્રનું ભલું થશે અંતમાં તેઓએ વારંવાર જુદાજુદા વિવાદો સામે આવતા હોય છે તેને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે, જે લોકો કિર્તિ રૂપે કમાણી કરેલ છે તેને ટેક્સ રૂપે ટીકા સહન કરવી જ પડે છે
આ કથાના ચોથા દિવસે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા,રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, કચ્છના પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ,ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમાર, મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જયુભાઈ જાડેજા, કિશોરભાઇ ચિખલિયા, અમુભાઈ હુંબલ, જીતુભાઈ મહેતા સહિતના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને ધામધુમથી કથા મંડપમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો