માળીયા (મી)માં અગરીયા બહુહેતુક કેન્દ્ર ખાતે અગરિયાઓને સાથે રાખીને સંમેલન યોજાયુ
SHARE
માળીયા (મી)માં અગરીયા બહુહેતુક કેન્દ્ર ખાતે અગરિયાઓને સાથે રાખીને સંમેલન યોજાયુ
અગરીયા બહુહેતુક કેન્દ્ર માળીયા મિયાણા ખાતે અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા માટે સંમેલન રાખવામાં આવ્યું હતું હતું ત્યારે અગરિયાઓને જુદીજુદી યોજનાની જાણકારી આપવામાં આવી હતી તેમજ સરકારી વિભાગો દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવેલ છે મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અગરીયા હિતરક્ષક મંચ માળીયા અને માળીયા તાલુકા મીઠા ઉત્પાદન એસોસિયેશન દ્વારા આ સંમેલન રાખવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી, અગરીયા હિતરક્ષક મંચના પ્રમુખ હરીનેશભાઈ પંડ્યા, અગરીયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બારૈયા, માળીયા તાલુકા દસ એકર મીઠા ઉત્પાદક એસોસિયેશનના પ્રમુખ દેવાભાઈ ડાંગર, તેમજ મામતદાર ડી.સી.પરમાર, ટી.ડી.ઓ., સી.ડી.પી.ઓ મયુરીબેન, ટી.એચ.ઓ. ડો.બાવરવા, સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા આ સંમેલનમાં ૪૦૦થી ૫૦૦ અગરમાં કામ કરતા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા









