ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના બાળકોના જન્મદિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE













મોરબીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના બાળકોના જન્મદિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજજનપર ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પોતાના બે પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં રોકડ રકમ શાળાને અર્પણ કરવામાં આવી હતી.

શ્રી સજનપર પ્રા.શાળાના શિક્ષક આદ્રોજા કેતનભાઈ અને દલસાણીયા ડિમ્પલબેનએ પોતાના બંને પુત્રો ધ્યાન અને ધ્યાતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.જેમાં તેમના તરફથી સજજનપર પ્રાથમિક શાળાના તમામ બાળકોને પેન-પેન્સિલ તેમજ પ્રાથમિક શાળાને રોકડા રૂા.૧૫ હજાર અર્પણ કરીને પોતાના બાળકોના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામા આવી હતી જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઇ પુજારાએ તેનો અભિનંદન પાઠવેલ છે અને શાળા પરિવાર વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

માળીયામાં ફ્રી નિદાન - સારવાર કેમ્પ યોજાશે

માળીયા ખાતે ઇન્ડીયન ઓઇલના સૌજન્યથી તુલસી કિસાન સેવા કેન્દ્ર દ્વારા તા.૧૭-૯ ના રોજ એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે અને ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. માળીયા ખાતે ૮-એ નેશનલ હાઇવે ખાતે ઇન્ડીયન ઓઇલ અને તુલસી કિસાન સેવા કેન્દ્ર દ્વારા તા.૧૭ ને શનિવારના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૩:૩૦ સુધી  એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ.હસ્તી આઇ. મહેતા દ્વારા જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. ડૉ.હસ્તીબેન મહેતા દ્વારા મહેતા ઔષધ ભંડાર ઉપર, ગાંધી બજાર, કુબેરનાથ સામેની શેરી, લુહાર ચાલ, હુસેનપીરની દરગાહ પાસે ખાતે રાહત દરે ફિઝીયો થેરાપી ચલાવએ છે અને સોમવારથી શનિવાર સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ સુધી.રૂા.૫ ના નજીવા દરે દવાઓ આપવામાં આવે છે.






Latest News