મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના બાળકોના જન્મદિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકે પોતાના બાળકોના જન્મદિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજજનપર ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા પોતાના બે પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં રોકડ રકમ શાળાને અર્પણ કરવામાં આવી હતી.

શ્રી સજનપર પ્રા.શાળાના શિક્ષક આદ્રોજા કેતનભાઈ અને દલસાણીયા ડિમ્પલબેનએ પોતાના બંને પુત્રો ધ્યાન અને ધ્યાતના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.જેમાં તેમના તરફથી સજજનપર પ્રાથમિક શાળાના તમામ બાળકોને પેન-પેન્સિલ તેમજ પ્રાથમિક શાળાને રોકડા રૂા.૧૫ હજાર અર્પણ કરીને પોતાના બાળકોના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામા આવી હતી જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઇ પુજારાએ તેનો અભિનંદન પાઠવેલ છે અને શાળા પરિવાર વતી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

માળીયામાં ફ્રી નિદાન - સારવાર કેમ્પ યોજાશે

માળીયા ખાતે ઇન્ડીયન ઓઇલના સૌજન્યથી તુલસી કિસાન સેવા કેન્દ્ર દ્વારા તા.૧૭-૯ ના રોજ એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે અને ડાયાબીટીસ ટેસ્ટ તેમજ બીપી ચેક કરી આપવામાં આવશે. માળીયા ખાતે ૮-એ નેશનલ હાઇવે ખાતે ઇન્ડીયન ઓઇલ અને તુલસી કિસાન સેવા કેન્દ્ર દ્વારા તા.૧૭ ને શનિવારના રોજ સવારે ૮:૩૦ થી બપોરે ૩:૩૦ સુધી  એક દિવસીય ફ્રી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ.હસ્તી આઇ. મહેતા દ્વારા જરૂરીયાત મંદ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે. ડૉ.હસ્તીબેન મહેતા દ્વારા મહેતા ઔષધ ભંડાર ઉપર, ગાંધી બજાર, કુબેરનાથ સામેની શેરી, લુહાર ચાલ, હુસેનપીરની દરગાહ પાસે ખાતે રાહત દરે ફિઝીયો થેરાપી ચલાવએ છે અને સોમવારથી શનિવાર સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ સુધી.રૂા.૫ ના નજીવા દરે દવાઓ આપવામાં આવે છે.






Latest News