મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ
મોરબી : આશાપુરા માતાજી માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ મુકામે સેવા કેમ્પ
SHARE
મોરબી : આશાપુરા માતાજી માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ મુકામે સેવા કેમ્પ
મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે સતત છેલ્લા ૨૩ વર્ષથી કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવા માટે સુંદર કેમ્પનું આયોજન થાય છે.મોરબીનાં ધીરૂભાઈ ડી.ચાવડા(નિવૃત બેંકકર્મી), કે.સી.જાડેજા (પી.જી.વી.સી.એલ.મોરબી), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જયોતિ મંડપ), મહેશભાઈ (જલારામ ફેમિલી મોલ), સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિ યુવાનો ખુબ જ ઉમંગ સાથે સેવા આપી રહયા છે આ સેવા કેમ્પ તા.૧૮-૯ ને રવિવારથી તા.૨૪-૯ શિનવાર સુધી રીતદિવસ અવિરતપણે ચાલુ રહેશે.આ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ અને મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી નમ્ર અપીલ કરવામાં આવેલ છે.