વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિને મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈનો અનોખો સંકલ્પ
મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ
SHARE
મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ
મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે તે ગામોમાં આજથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે કેમ કે, સમ્પના સફાઈ કામ માટે શટ ડાઉન કરવામાં આવ્યું છે
મોરબી જીલ્લામાં તા.૧૭/૦૯ થી તા.૧૯/૦૯ એમ કુલ ત્રણ દિવસ સુધી એન.સી.-૭ માં મશીનરી તથા સમ્પ સફાઈ કામગીરી તેમજ એન.સી.-૬ સમ્પ સફાઈ માટે શટ ડાઉન કરવા માટે વડી કચેરી ગાંધીનગર દ્વારા મજૂર આપવામાં આવી છે જેથી કરીને શટડાઉનના સમયગાળા દરમ્યાન જીડબલ્યુઆઈએલ, મોરબી હસ્તકના એન.સી.-૬, ખીરઈ, એન.સી.-૭, મોરબી તથા એન.સી.-૧૨એ, હીરાપર પંપીગ સ્ટેશનથી પંપીગ બંધ રહેશે. જેથી કરીને મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે. તેનો પાણી પુરવઠો બંધ રહેશે તથા પાણી પુરવઠો રેગ્યુલર થવા માટે આશરે ત્રણથી ચાર દિવસ લાગશે તેવી અધિકારી દ્વારા ગ્રામજનો તથા સરપંચોને જાણ કરવામાં આવી છે