મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો


SHARE















મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો

દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે મોરબીમાં આયુષ્ય યજ્ઞ યોજાયો અને મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે આ આયુષ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આહુતિ આપવામાં આવી હતી ત્યારે ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસની સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ ઉજવણીઓ કરવામાં આવી રહી છે અને તેઓના જન્મદિવસની સેવા કાર્ય થકી તેમજ હોમ હવન, પૂજન અર્ચન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રહે છે ત્યાં તેઓના નિવાસ્થાને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની હાજરીમાં આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે થઈને કાંતિભાઈ અને તેના પરિવાજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે તેઓને છેલ્લા ૪૩ વર્ષથી સંબંધ છે અને તેમણે જન્મ પરિવાર નહીં પરંતુ દેશ માટે થયો છે જેથી કરીને તેના દિર્ધાયું માટે કાંતિભાઈ તેમજ અમૃતિયા પરિવાર દ્વારા તેઓના આંગણે આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈશ્રી તેમજ તેઓની સાંદિપની વિદ્યાપીઠના ભૂદેવો દ્વારાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો આ તકે મોટી સંખ્યામાં મોરબી અને આસપાસના વિસ્તારમાંથી લોકો હાજર રહ્યા હતા






Latest News