મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો


SHARE







મોરબીમાં માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે નરેન્દ્ર મોદીના દિર્ધાયું આયુષ્ય યજ્ઞ યોજાયો

દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે મોરબીમાં આયુષ્ય યજ્ઞ યોજાયો અને મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના બંગલે આ આયુષ્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આહુતિ આપવામાં આવી હતી ત્યારે ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝા પણ હાજર રહ્યા હતા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ માં જન્મદિવસની સમગ્ર ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ ઉજવણીઓ કરવામાં આવી રહી છે અને તેઓના જન્મદિવસની સેવા કાર્ય થકી તેમજ હોમ હવન, પૂજન અર્ચન કરીને ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબીની તો મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં રહે છે ત્યાં તેઓના નિવાસ્થાને ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની હાજરીમાં આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિર્ધાયું માટે થઈને કાંતિભાઈ અને તેના પરિવાજનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે તેઓને છેલ્લા ૪૩ વર્ષથી સંબંધ છે અને તેમણે જન્મ પરિવાર નહીં પરંતુ દેશ માટે થયો છે જેથી કરીને તેના દિર્ધાયું માટે કાંતિભાઈ તેમજ અમૃતિયા પરિવાર દ્વારા તેઓના આંગણે આયુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈશ્રી તેમજ તેઓની સાંદિપની વિદ્યાપીઠના ભૂદેવો દ્વારાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો આ તકે મોટી સંખ્યામાં મોરબી અને આસપાસના વિસ્તારમાંથી લોકો હાજર રહ્યા હતા






Latest News