મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મોરબી સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા અને તેના હસ્તે બાળકોને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતા

મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે જાણીતા કથાકાર અને વક્તા ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના સ્થાનિક આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષીની ટીમે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભૂદેવો પરિવાર સાથે હાજર રહ્યા હતા






Latest News