મોરબીની ગંદકી-અવ્યવસ્થા માટે ભાઈશ્રીએ કરેલ ટકોરને ગંભીરતાથી લેતા પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર
મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબીમાં કથાકાર રમેશભાઇ ઓઝાની હાજરીમાં સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મોરબી સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારે કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના આગેવાનો હજાર રહ્યા હતા અને તેના હસ્તે બાળકોને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતા
મોરબીમાં ઉમા ટાઉનશિપ સામે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના પરિણામ એકત્રિત કરવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે જાણીતા કથાકાર અને વક્તા ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને હાસ્ય કલાકાર જગદીશભાઇ ત્રિવેદી સહિતના સ્થાનિક આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહમંત્રી કેયુરભાઇ પંડ્યા અને અમુલભાઇ જોષીની ટીમે જહેમત ઉઠાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભૂદેવો પરિવાર સાથે હાજર રહ્યા હતા