મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર નજીક ટ્રેન નીચે આવી જતાં યુવાનનું મોત
મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતક યુવનના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે યુવાન આવી ગયો હતો જેથી કરીને મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા રામજીભાઈ હીરાભાઈ કુકવા (૨૨) નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી









