મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે


SHARE















મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે સાંજે કર્મચારી, વેપારીઓ અને સામાજિક કાર્યકરનો સન્માન સમારોહ યોજાશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સમયાંતરે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓનું સન્માન કરવામાં આવે છે તેવી જ રીતે આજે સાંજે ચાર વાગ્યે રવાપર ગામ પાસે મંદિર સામે આવેલ ઉમા હોલ ખાતે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ કર્મનિષ્ઠ કર્મચારી, પ્રમાણિક વેપારીઓનું તેમજ સામાજિક કાર્યકરનું સન્માન કરવામાં આવશે

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે જે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં કલેકટર જે.બી. પટેલ, પૂર્વ સાંસદ રમાબેન માવાણી, નાયબ કલેકટર અને સબ મેજીસ્ટ્રેટ દેવેન્દ્રસિંહ ઝાલા,  મોરબી તાલુકાના મામલતદાર એન.એસ. મહેતા, મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલા અધિકારીઓ અને આગેવાનો હાજર રહેવાના છે આ તકે લોકોને ગ્રાહકોના હક્કો માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે તેમજ કર્મચારી અને વેપારીઓના આગેવાનો અને અધિકારીઓનાં હસ્તે સન્માનિત કરવામાં આવશે તેવું સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યુ છે






Latest News