મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?


SHARE







મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?

સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયા સફાઈના નામે પાલિકાઓને આપવામાં આવે છે તે મુજબ મોરબી પાલિકામાં પણ પૂરતું ફંડ સફાઈ માટે આવતું હોય છે પરંતુ તે ફંડનો શું ઉપયોગ થાય છે તે શહેરીજનો સમજી શકતા નથી.કારણકે મોરબીમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે અને હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે દેશને આઝાદ કરાવવા માટે બલિદાનનો આપનાર આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ પાસે પણ સાફ-સફાઈ જળવાતી નથી. ત્યારે વાત કરીએ મોરબીના ત્રિકોણબાગની તો મોરબીના ત્રિકોણબાગમાં મોટા ઉકરડાઓ જોવા મળે છે જેમાં સતત ગૌવંશો બેસી રહેતા હોય ત્યાં પાર્ક કરાતા વાહન ચાલકોના જીવ પડીકે બંધાય છે કે ક્યારે ગૌવંશો બાખડસે અને વાહનોમાં નુકસાની થશે.તે ઉપરાંત ત્યાંના દુકાનદારો અને ખાસ કરીને પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા જ ત્યાં કચરા ઠાલવી જવામાં આવે છે જે લાંબા સમય સુધી ઉપાડવામાં આવતા નથી અને તેના લીધે ત્યાં કચરાના મોટા ઢગલા જોવા મળે છે અને તે ઉપરાંત ત્યાં ગાંધીજીની પ્રતિમા પાછળ ખુલ્લામાં લઘુશંકા કરવામાં આવતી હોય તે બાબત પણ એટલી જ ત્રાસદાયક હોય આ અંગે યોગ્ય સાફ-સફાઈના પગલાં લેવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિકો દ્વારા પાલિકા પાસે માંગ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાતા પાલિકા તંત્ર દ્વારા વોચમેન મૂકવામાં આવેલ અને ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ કરાવવાતું અને ગંદકી કરનારાઓ સામે દંડ પણ વસૂલવામાં આવતો હતો જે બંધ થઈ જતા પૂન: સ્થિતિ થઈ ગઈ હોય પગલાં લેવામાં આવે તેવી સૌ માંગ કરી રહ્યા છે.






Latest News