માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?


SHARE













મોરબીનો ત્રિકોણબાગ છે કે કોરોના તથા જીવલેણ રોગ ફેલાવાનું કારખાનું..?

સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયા સફાઈના નામે પાલિકાઓને આપવામાં આવે છે તે મુજબ મોરબી પાલિકામાં પણ પૂરતું ફંડ સફાઈ માટે આવતું હોય છે પરંતુ તે ફંડનો શું ઉપયોગ થાય છે તે શહેરીજનો સમજી શકતા નથી.કારણકે મોરબીમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળે છે અને હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે દેશને આઝાદ કરાવવા માટે બલિદાનનો આપનાર આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ પાસે પણ સાફ-સફાઈ જળવાતી નથી. ત્યારે વાત કરીએ મોરબીના ત્રિકોણબાગની તો મોરબીના ત્રિકોણબાગમાં મોટા ઉકરડાઓ જોવા મળે છે જેમાં સતત ગૌવંશો બેસી રહેતા હોય ત્યાં પાર્ક કરાતા વાહન ચાલકોના જીવ પડીકે બંધાય છે કે ક્યારે ગૌવંશો બાખડસે અને વાહનોમાં નુકસાની થશે.તે ઉપરાંત ત્યાંના દુકાનદારો અને ખાસ કરીને પાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા જ ત્યાં કચરા ઠાલવી જવામાં આવે છે જે લાંબા સમય સુધી ઉપાડવામાં આવતા નથી અને તેના લીધે ત્યાં કચરાના મોટા ઢગલા જોવા મળે છે અને તે ઉપરાંત ત્યાં ગાંધીજીની પ્રતિમા પાછળ ખુલ્લામાં લઘુશંકા કરવામાં આવતી હોય તે બાબત પણ એટલી જ ત્રાસદાયક હોય આ અંગે યોગ્ય સાફ-સફાઈના પગલાં લેવામાં આવે તેવી અહીંના જાગૃત નાગરિકો દ્વારા પાલિકા પાસે માંગ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કરાતા પાલિકા તંત્ર દ્વારા વોચમેન મૂકવામાં આવેલ અને ત્યાં વ્યવસ્થિત પાર્કિંગ કરાવવાતું અને ગંદકી કરનારાઓ સામે દંડ પણ વસૂલવામાં આવતો હતો જે બંધ થઈ જતા પૂન: સ્થિતિ થઈ ગઈ હોય પગલાં લેવામાં આવે તેવી સૌ માંગ કરી રહ્યા છે.






Latest News