માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન
SHARE
માળીયા (મી)ના સરવડ ગામે કાલરીયા પરિવાર ફ્રી નિદાન-સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન
છેલ્લા ઘણા સમયથી લોકોનેસદગતને સાર્થક શ્રદ્ધાંજલી આપતા હોય છે આવી જ રીતે માળીયા (મી)ના સરવડ ગામે તા. ૨૫ ના રોજ કાલરીયા પરિવાર દ્વારા સ્વર્ગસ્થના સ્મણાર્થે સાર્થક શ્રદ્ધાંજલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે ફ્રી નિદાન, સારવાર તથા રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે
માળીયા તાલુકના સરવડ ગામે રહેતા સ્વ.શાંતાબેન પ્રભુભાઈ કાલરિયાના સમરણાર્થે તેના પરિવારજનોએ તા ૨૫ ને રવિવારે સવારે ૯:૩૦ થી ૧૩:૦૦ વાગ્યા સુધી સરવડ ગામે પ્રાથમિક શાળામાં ફ્રી નિદાન, સારવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું ફ્રી નિદાન કરી આપીને જુદીજુદી તપાસ પણ કરી આપવામાં આવશે. સાથોસાથ લોકોને જરૂરિયાત સમયે રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું સી.પી. કાલરિયા (૯૯૯૮૦ ૫૨૩૬૧), મયુર કાલરિયા (૯૬૬૨૫ ૯૨૬૭૪)નો સંપર્ક કરવા જણાવ્યુ છે