મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબી તાલુકા સેવાસદનમાં બંધ કરેલ દરવાજા ખોલવા કલેક્ટરને રજૂઆત

મોરબી તાલુકા સેવાસદનમાં અમુક દરવાજાને સ્થાનિક અધિકારીઓએ દ્વારા બંધ કરવામાં આવેલ છે જેથી કરીને તેને ખોલવા માટે સ્થાનિક લેવલે અધિકારીઓને રજૂઆત કરી હતી તો પણ તે ખોલવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં સમાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને આ મુદે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ જી. બાંભણીયા, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુશા બ્લોચ દ્વારા હાલમાં કલેકટર મારફતે સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકા સેવાસદનમાં ગ્રામ્ય વિસ્તારનાં લોકો કામ કાજે આવતા હોય છે ત્યારે દરવાજા બંધ હોવાથી તેને હેરાન થવું પડે છે માટે વૃધ્ધ પેન્શનર, વિઘવા પેન્શનર સહિતના લોકોને ફરી ફરીને કચેરીમાં જવું પડે છે જેથી કરીને આ બંધ દરવાજને ખોલવા માટે અનેક વખત રજૂઆત કરવામા આવી છે પરંતુ તે બંધ દરવાજાને ખોલવામાં આવેલ નથી જેથી આ મુદે સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને બંધ દરવાજાને ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, બિલ્ડિંગનાં મુખ્ય દરવાજા સિવાયનાં તમામ દરવાજાને તાળા મારીને બંધ રાખવામાં આવે છે. જેથી કયારે આગ અકસ્માત જેવો બનાવ કે પછી ઝઘડા થાય તો લોકો બિલ્ડિંગની બહાર નીકળી શકે તેમ નથી જેથી કરીને વહેલમાં વહેલી તકે બંધ દરવાજને ખોલવામાં આવે તે અનિવાર્ય છે






Latest News