મોરબીમાં અગાઉ થયેલ મારામારી અને દારૂના ગુનામાં દાઉદ પલેજાની ધરપકડ
માળિયા (મી)ની જાજાસર શાળાના આચાર્યને વિદાય-દાતાનો સન્માન સમારોહ યોજાયો
SHARE
માળિયા (મી)ની જાજાસર શાળાના આચાર્યને વિદાય-દાતાનો સન્માન સમારોહ યોજાયો
માળિયા મિયાણા તાલુકાની જાજાસર શાળાના આચાર્ય વય મર્યાદાના લીધે નિવૃત થતા તેનો વિદાય સમારોહ અને તેની સાથે જ શાળાને દાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ રાખવામા આવ્યો હતો આ તકે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી આચાર્યને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જાજાસર શાળાના આચાર્ય ધીરુભાઈ મિયાત્રા નિવૃત થતા શૈક્ષિક મહાસંઘ ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો અને માળિયા તાલુકા અધ્યક્ષ હરદેવભાઈ કાનગડ, શિક્ષક સંઘ મહામંત્રી મોરબી જિલ્લો અને માળિયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા સન્માન પત્ર અર્પણ કરી, સાલ ઓઢાડી, શ્રીફળ, પડો આપીને સન્માનીત કર્યા હતા ત્યાર બાદ નાની બરાર તાલુકા શાળા તેમજ પેટા શાળા પરિવાર દ્વારા ધીરુભાઈને ભેટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા. ત્યાર બાદ શાળામાં દાતાઓ તરફથી વિદ્યાર્થીઓના ઉપયોગ માટે કોમ્પ્યુટર આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રામ સોલ્ટ વાળા બાબુભાઈ હુંબલ અને દેવ સોલ્ટ પ્રા.લી.ના વિવેકભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કાર્યકમને અનુરૂપ પ્રવીણભાઈ ભોરણીયા, હરદેવભાઇ કાનગડ, શ્રદ્ધાબેન મિયાત્રા સહિતનાઓએ વક્તવ્ય આપ્યું હતું અને અંતમાં જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈએ આભાર વિધિ કરી હતી.