મોરબી જિલ્લામાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અનેક લાભાર્થીઓને અપાશે લાભ
મોરબીના ખાખરાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પીને યુવાનનો આપઘાત
SHARE
મોરબીના ખાખરાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પીને યુવાનનો આપઘાત
મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં યુવાને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જો કે, ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામને રહેતા સોમાભાઈ પ્રભુભાઈ કુરિયા (ઉંમર ૪૨) એ ખાખરડા ગામ થી ખેવારિયા ગામ તરફ જવાના રસ્તા ઉપર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર મળે ત્યારે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું જેથી ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી અને પોલીસે હાલમાં આપઘાતના બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ઝરી દવા પીધી
માળીયા મીયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતા સબાનાબેન સિરાજભાઈ જેડા જાતે મુસ્લિમ (ઉંમર ૨૬) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે જોકે તેને કયા કારણોસર જેવી દવા પીધી છે તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરેલ છે