મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવની આવકમાંથી શહીદ પરિવારોને કરાશે આર્થિક સહાય
મોરબીના બંધુનગર પાસે મુંઢ માર મારતા યુવાનનું મોત !, હત્યાની આશંકા: તપાસનો ધમધમાટ
SHARE
મોરબીના બંધુનગર પાસે મુંઢ માર મારતા યુવાનનું મોત !, હત્યાની આશંકા: તપાસનો ધમધમાટ
મોરબીના કેરાળી ગામ પાસેથી સળગેલી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી હતી તેમાં હજુ મૃતકની ઓળખ મળી નથી ત્યારે આજે મોડી સાંજે બંધુનગર ગામ પાસેથી એક અજાણ્યા પુરુષની લાશ મળી છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતકના શરીર ઉપર મુંઢ માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની આશંકા સેવાઇ રહી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બંધુનગર નજીક પેટ્રોલ પંપ પાસે આવેલ કારખાનાના ગેઇટ પાસેથી અજાણ્યા ૪૦ વર્ષના યુવાન પુરુષની લાશ મળી છે જેથી કરીને તેના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહને સિવિલે ખસેડીને મૃતક વ્યક્તિ કોણ છે તેની ઓળખ મેળવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે આ બનાવની આગળની તપાસ પીએસઆઈ અજમેરી ચલાવી રહ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ મૃતકના શરીર ઉપર મુંઢ માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની આશંકા સેવાઇ રહી છે જો કે, મૃતક યુવાનને કોણે માર માર્યો હતો અને શા માટે માર માર્યો હતો તેની તપાસ ચાલી રહી છે