ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE













મોરબીમાં ફ્લોરા પામ્સના ૧૧ માં માળેથી નીચે ટકાતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સમાં ૧૧ માં માળેથી નીચે ટકાતા જા પામેલ મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજયું છે જેથી અકસ્માત મૃતયુના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ રોડ ઉપર નવી બનતી ફ્લોરા પામ્સની બાંધકામ સાઈટ ઉપર હાલમાં બાંધકામ ચાલી રહ્યું છે ત્યારે ૧૧ માં માળ ઉપરથી હિતેશભાઈ અર્જુનસિંહ ચૌહાણ જાતે રાજપુત (ઉંમર ૨૬) રહે હાલ એલઇ કોલેજ રોડ મૂળ રહે ચલાલી કાલોલ પંચમહાલ વાળો નીચે ટકાયો હતો જેથી કરીને તેને માથામાં હેમરેજ અને શરીરે ગંભીરિજા થઈ હોવાથી તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રાત્રીના ૧૧ માં માળે તે આંટા મારતો હતો ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે ઉપરથી નીચે ટકાતા તેનું મોત નીપજયું છે અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

માતાને માર માર્યો

મોરબી નજીકના ખાનપર ગામે રહેતા સરોજબેન પ્રેમજીભાઈ પીપળીયા (ઉંમર ૪૦) તેઓના ઘરે હતા ત્યારે તેને તેના દીકરાએ માર માર્યો હતો જેથી ઈજા પામેલા સરોજબેન પીપળીયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને મારામારીના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે બાઈક લઈને પસાર થઈ રહેલ મનોજભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૪૧) રહે. મોરબી સબ જેલ સામે વાળાનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મનોજભાઈ સોલંકીને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News