મોરબી માળીયાના ૧૩ ગામના રસ્તા ૧૯.૩૦ કરોડના ખર્ચે મંજુર કરાવતા મંત્રી બ્રિજેશભાઈ મેરજા
મોરબી-માળિયા સરપંચ એસો.ની રચનામાં સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા વિવાદ
SHARE
મોરબી-માળિયા સરપંચ એસો.ની રચનામાં સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા વિવાદ
મોરબી માળીયા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે જો કે તે પહેલા માળીયા તાલુકાનાં સરપંચોને વિશ્વવાસમાં લેવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં વિવાદ થયો છે અને બંને તાલુકાનાં ઘણા સરપંચને જાણ કર્યા વગર હોદેદારોની વરણી કરવામાં આવી છે જેથી નવી બોડીને માન્ય નહીં રાખવા માટે હાલમાં સોશિઅલ મીડિયામાં માળીયાના જુદાજુદા ગામના સરપંચોના લેટર પેડ ફરી રહ્યા છે
મોરબી-માળીયા(મી.) તાલુકાના ઘણા સરપંચોને જાણ કર્યા વગર મોરબી માળીયા તાલુકા સરપંચ એસો.ના પ્રમુખ પદે કાંતિલાલ મગનલાલ પેથાપરા અને ઉપપ્રમુખ તરીકે બ્રિજરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. જેથી કરીને વિવાદ ઊભો થયો છે અને બંને તાલુકા સરપંછો દ્વારા નવી બોડીને માન્ય નહીં ગણવા માટે લેટર પેડ લખીને હાલમાં સોશિઅલ મીડિયામાં શેર કરવામાં આવેલ છે હાલમાં વીરપરડા, ડાયમંડનગર, નીચી માંડલ, શાપર, બહાદુર ગઢ, ગુગંણ, શાપર, ભડિયાદ, લીલાપર, જીકીયારી, અદેપર, જાંબુડિયા,મકનસર, બધુંનગર, જોધપર નદી, પાનેલી, નવાગામ, ઘુંનડા (સ), રવાપર નદી, સાદુંળકા, રંગપર, માળીયા વનાળિયા, ઉંચી મોટી વાવડી, રાજપર (કું), આમરણ, અણીયારી લૂંટાવદર, માળીયા મી. તાલુકાના રાસંગપર, તરઘરી, વધારવા, વેજલપર, વેણાસર, ખાખરેચી, જુના ઘાટીલા, કુંભારીયા, માણાબા સહિતના ગામોના સરપંચો દ્વારા નવી બોડીની સામે વિરોધ નોંધાવ્યો છે